એર ઈન્ડિયાને લઈને સરકારે પોતાનો મત સ્પષ્ટ કરી દીધો છે કે કંપનીને વેચી દેવામાં આવશે અથવા તો બંધ કરી દેવામાં આવશે.
મારા પાસે એવી તાકાત નથી કે વાંરવાર નાણામંત્રી પાસે જઈને પૈસા માંગુ : પૂરી
સરકાર પાસે હવે બે જ વિકલ્પ બચ્યા છે : પૂરી
કંપનીને રોજ 20 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે : પૂરી
સરકારની પાસે બે જ વિકલ્પ : પૂરી
કેન્દ્રની મોદી સરકારે હવે સરકારી કંપનીઑમાં સરકારનો હિસ્સો વેચીને અથવા તો સરકારી કંપનીને વેચીને ખાનગીકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે ત્યારે એર ઈન્ડિયાને લઈને કેન્દ્રીય મંત્રીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે મારા પાસે એવી ક્ષમતા નથી કે વારંવાર નાણામંત્રી પાસે જઈને પૈસા માંગુ. હવે અમારી પાસે બે જ વિકલ્પ બચ્યા છે. કંપનીને વેચી દેવામાં આવે અથવા તો કંપનીને બંધ કરી દેવામાં આવે.
વેચી દેવામાં આવશે અથવા તો બંધ કરી દેવામાં આવશે
સરકારી એરલાઇન કંપની એર ઈન્ડિયાને લઈને સરકારે હવે પોતાનો મત સ્પષ્ટ કરી દીધો છે. કેન્દ્રીય મંત્રી હરદીપ પૂરીએ શનિવારે મોટું નિવેદન આપ્યું કે એર ઈન્ડિયાનું સંપૂર્ણ ખાનગીકરણ કરી દેવામાં આવશે અથવા તો પછી બંધ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે એરઇન્ડિયા માટે બોલીઓ મંગાવવામાં આવશે, તેમણે કહ્યું કે સરકારની સામે હવે માત્ર 2 જ વિકલ્પ છે. એર ઈન્ડિયાને પ્રાઇવેટ કરી દેવામાં આવે અથવા તો પછી તેને બંધ કરી દેવામાં આવે.
દેવા તળે દબાઈ ગઈ છે કંપની
સરકાર હવે આ કંપની પૂરેપૂરી વેચી નાંખશે. પૂરીએ કહ્યું કે સરકારે નક્કી કર્યું છે કે કંપનીનું 100 ટકા ખાનગીકરણ કરવામાં આવશે. અમને દરરોજ 20 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. કંપની પર 60 હજાર કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું છે. ઇંડિયન એરલાઇન્સ અને એર ઈન્ડિયાનું વિલિનીકરણ કર્યા બાદથી ખોટમાં ચાલી રહી છે કંપની.
વારંવાર નાણામંત્રી પાસે ન જઈ શકું : પૂરી
પૂરીએ કહ્યું કે મારી એટલી ક્ષમતા નથી કે વારંવાર હું નિર્મલાજી પાસે જઉ અને કહું કે મને થોડા પૈસા હજુ આપી દો. પૂર્વમાં આ કંપની માટે ખૂબ પ્રયાસ કરવામાં આવ્યા છે જે સફળ રહ્યા નથી. માનવામાં આવી રહ્યું છે કે એર ઈન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયા મે અથવા જૂન મહિનામાં પૂર્ણ થઈ જશે.