મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો મૂકીને અને ત્યજી દેવાયેલી કારના માલિક મનસુખ હિરેનની હત્યા કરવાનો સચિન વાઝે મુખ્ય આરોપી છે. હાલમાં તે 03 એપ્રિલ સુધી NIAની કસ્ટડીમાં છે.
સચિન વાઝેને લઈને NIA પહોંચી મીઠી નદીના પુલ પર
ડાઈવર્સે નદીના પાણીમાં ડૂબકી લગાવી મેળવ્યા પુરાવા
NIA આ કેસના પુરાવાને જોડીને તપાસ કરવા માંગે છે
રિલાયન્સ કંપનીના ચેરમેન મુકેશ અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયાની બહાર ત્યજી દેવાયેલી વિસ્ફોટકો ભરેલી કારના મામલે રવિવારે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ એક મોટું પગલું ભર્યું હતું. NIA ની ટીમ આ કેસમાં અટકાયતમાં લેવાયેલા આરોપી સચિન વાઝે સાથે બાંદ્રાની મીઠી નદી પર પહોંચી હતી. ડાઈવર્સને મીઠી નદીમાંથી કમ્પ્યુટર હાર્ડ ડિસ્ક અને એક કારની સરખા નંબર વાળી બે નંબર પ્લેટ મળી આવી છે, સાથે જ એક લેપટોપ, અમુક DVRs અને અમુક બીજી આઇટમો મળી આવી છે. NIAએ ગત સપ્તાહે બીજી વખત સચિન વાઝેની કસ્ટડી મેળવી હતી. મહત્વનું છે કે ANI ને NIA સૂત્રો તરફથી જાણકારી મળી છે કે મનસુખ હિરેનની મોતના સમય સુધી આ ચીજો વાઝેના કબજામાં હતી.
Maharashtra: NIA divers recover one more computer CPU, a laptop, two number plates with same registration number on them, and other items from Mithi river in Mumbai's Bandra Kurla Complex as part of probe into death of Mansukh Hiren.
NIA સચિન વાઝેને લઈને બાંદ્રા કુર્લા પાસે પહોંકહી હતી અને જાણ થઈ હતી કે મીઠી નદીમાં કેટલાક પુરાવા શોધવાનો પ્રયાસ થઈ રહ્યો છે, આ નાળામાં પોલીસકર્મીઓના બંદોબસ્ત વચ્ચે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક કારની સરખા નંબર વાળી બે નંબર પ્લેટ પણ મળી આવી છે. પાણીમાં ઉતરનારા ડાઇવર્સની સહાયથી વધુ પુરાવા શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
On being confronted with circumstantial evidence, accused Sachin Waze confessed that some pieces of evidence were tossed into Mumbai's Mithi river. With help of divers, NIA today recovered DVRs, CPU, laptop, vehicle number plates & other items from the river: NIA sources (1/3) https://t.co/MM2qeh69km
નોંધપાત્ર વાત એ છે કે NIA ની ધરપકડ પહેલા વાઝે પર કમ્પ્યુટરનો હાર્ડડ્રાઈવ કાઢવાનો, મોબાઈલ ફેંકી દેવાનો અને કેસ સાથે જોડાયેલા અન્ય પુરાવા સગેવગે અથવા નષ્ટ કરવાનો આરોપ છે. NIA મુકેશ અંબાણી કેસ અને મનસુખ હિરેનની હત્યાથી સંબંધિત લિંક્સને જોડવા માંગે છે, જેમાં કેસના પુરાવા એકત્રિત કરવાનું ખૂબ મહત્વનું છે. NIA અધિકારી હિરેન કેસમાં પકડાયેલા અન્ય આરોપીઓ સાથે વાઝેને સામ-સામે બેસાડીને પણ પૂછપરછ કરી શકે છે.
These pieces of evidence were in Waze’s custody till the time of Mansukh’s death: NIA sources (3/3)
બીજી તરફ, મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકારમાં હોબાળો શરૂ થયો છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પાર્ટીના મુખપત્ર 'સામના'માં તેમની સાપ્તાહિક કૉલમ' રોકટોક'માં સવાલ કર્યો હતો કે સચિન વાઝે 100 કરોડ રૂપિયાના માસિક રિકવરીનું કૌભાંડ ચલાવી રહ્યા છે અને ગૃહ પ્રધાન દેશમુખ (અનિલ દેશમુખ) તે અંગે અજાણ હતા. દેશમુખને આકસ્મિક રીતે ગૃહ પ્રધાન પદ મળ્યું. જયંત પાટિલ અને દિલીપ વાલ્સે-પાટિલે જવાબદારી લેવાની ના પાડી હતી. આ કારણોસર શરદ પવારે અનિલ દેશમુખની પસંદગી આ પદ માટે કરી હતી.