લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા બાદ દેશમાં ચીન વિરોધી વાતાવરણ છે. ચાઇનીઝ ગુડ્ઝનો બહિષ્કાર કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. ભારતીય ક્રિકેટર હરભજન સિંહે પણ તમામ ચીની ચીજો પર પ્રતિબંધ લગાવવાની વાત કરી હતી.
હરભજને ફરી કરી ટ્વિટ
ચાઇનાનો વળતો જવાબ
ગ્લોબલ ટાઇમ્સને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી (સીસીપી) ના મુખપત્ર તરીકે ઓળખાય છે તેને હરભજનની આ વાત પસંદ ન આવી. તેને ખૂબ જ ખરાબ લાગ્યું કે એક ભારતીય સેલિબ્રિટી શા માટે ચીની ચીજોનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યો છે.
China has long since passed the era where celebrities lead the calls for boycotting foreign products. This "influencer" is reportedly one of the most famous sports stars in India; well, here he is representing another negative and backward image of great Indian culture. pic.twitter.com/hLNquK3p3m
હરભજનના નિવેદન પર અખબારના સંપાદક હુ શી જિનએ ટ્વિટ કર્યું હતું કે, ચીન એ યુગથી ઘણો આગળ નીકળી ગયો છે જેમાં સેલિબ્રિટી વિદેશી માલનો બહિષ્કાર કરવાની વાત કરે છે. આ 'અસરકારક' વ્યક્તિની ગણતરી ભારતના સૌથી પ્રખ્યાત રમતવીર તરીકે થાય છે.આ વાત દ્વારા મહાન ભારતીય સંસ્કૃતિની નકારાત્મક અને પછાત છબી પ્રસ્તુત કરી છે. '
શુક્રવારે હરભજને ટ્વીટ કરી હતી
शरीर एवं राष्ट्र.... दोनों को स्वस्थ रखने का...
एक ही उपाय है,
👍 " चीनी बन्द " 👍
शरीर के लिए *" देसी गुड"* और
राष्ट्र के लिए *"देसी Goods"*
— Harbhajan Turbanator (@harbhajan_singh) June 19, 2020
શુક્રવારે હરભજનસિંહે ટ્વીટ કરી હતી કે, 'શરીર અને રાષ્ટ્ર બંનેને સ્વસ્થ રાખવાનો એક જ રસ્તો છે.'
શરીર માટે 'દેશી ગોળ' અને રાષ્ટ્ર માટે "દેશી GOOD"
ભારતમાં ચીનનો 'બહિષ્કાર' શરૂ
દિલ્હી મેરઠ રેપિડ રેલ નેટવર્ક માટે ચીની કંપનીને આપવામાં આવેલ કરાર રદ કરવામાં આવ્યો છે. આ સાથે, ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ) એ પણ તેના 4જી અપગ્રેડ માટે ચાઇનીઝ ઉત્પાદનોનો ઉપયોગ ન કરવાનો નિર્ણય લીધો છે.