ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 13મી સીઝન શરૂ થવાને હવે થોડાં જ દિવસો બાકી રહ્યાં છે અને ટૂર્નામેન્ટને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. લોકો ટીમના પ્લાનથી લઈને મેચ જીતવાની શક્યતાની વાતો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર સ્પિનર હરભજન સિંહે એક ટ્વિટ કરીને લોકોના મનમાં અનેક સવાલો ઊભા કરી દીધા છે.
હરભજન સિંહની ટ્વિટથી ક્રિકેટ જગતમાં ખળભળાટ
હરભજન સિંહ કયો બોમ્બ ફોડશે એની ચર્ચા
ભારતીય સ્પિનર ભજ્જીએ એક ટ્વિટ કરીને મહત્વપૂર્ણ ભવિષ્યવાણી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ટ્વિટ આઈપીએલની વર્તમાન સીઝનને ટાંકીને કરવામાં આવી છે. ભજ્જીએ ટ્વિટમાં લખ્યું- હાલના દિવસોમાં ક્રિકેટ ખૂબ જ ચર્ચામાં છે અને હવે કંઈક એવું થવાનું છે કે તમારો ક્રિકેટ જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે. આ સાથે તેણે #CricketKaKhulasa ટેગ કર્યું છે.
Cricket aaj kal kaafi news mein hai, aur abhi abhi mujhe aisa kuch pata chala hai that will change the way you look at cricket forever! #CricketKaKhulasa
Cricket aaj kal kaafi news mein hai, aur abhi abhi mujhe aisa kuch pata chala hai that will change the way you look at cricket forever! #CricketKaKhulasa
જોકે, હવે એ તો માત્ર ભજ્જીને જ ખબર છે કે, તે શું કહેવા માંગે છે, પરંતુ ફેન્સ એવું માની રહ્યા છે કે તે આઈપીએલ-2020 તરફ જ ઈશારો કરી રહ્યો છે. ત્યારે ટ્વિટર પર કેટલાક યુઝર્સે કોઈ સારી જાહેરાત કરવા કહ્યું તો કેટલાકે ભજ્જીને આ અંગે સવાલો પણ પૂછ્યા.
ઉલ્લેખનીય છે કે કોવિડ-19ને કારણે ટૂર્નામેન્ટયુએઈમાં દેશની બહાર રમવામાં આવશે. આઈપીએલ 2020ની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરના રોજ બે મોટી ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) અને મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ) વચ્ચે રમાશે. જોકે, આ મેચમાં હરભજન સિંહ જોવા નહીં મળે. તેણે ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તે તેના પરિવાર સાથે સમય વિતાવવા માંગતો હતો.