બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:14 PM, 4 December 2024
ભારતના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે કહ્યું કે, તે અને એમએસ ધોની એકબીજા સાથે વાત કરતા નથી. ભજ્જીએ ખુલાસો કર્યો કે, તેને એમએસ ધોની સાથે કોઈ સમસ્યા નથી, પરંતુ તે અને એમએસ ધોની હવે મિત્રો નથી. હરભજને જણાવ્યું હતું કે, તે અને એમએસ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સમાં ઘણાં વર્ષોથી માત્ર સ્ટેડિયમમાં જ વાત કરતા હતા અને મેદાનની બહાર બંને વચ્ચે કોઈ વાતચીત થતી નહોતી.
ADVERTISEMENT
ભજ્જી અને ધોની વચ્ચે કોઈ વાતચીત થઈ નથી
ADVERTISEMENT
તેણે કહ્યું, 'હું ધોની સાથે વાત નથી કરતો. જ્યારે હું CSKમાં રમી રહ્યો હતો ત્યારે અમે વાત કરી હતી, પરંતુ તે સિવાય અમે વાત કરી નથી. 10 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. મારી પાસે તેની સાથે વાત કરવાનું કોઈ કારણ નથી, મને ખબર નથી કે આ પાછળનું કારણ શું છે. જ્યારે અમે IPLમાં રમતા હતા ત્યારે અમે વાતો કરતા હતા અને તે પણ માત્ર મેદાન પુરતી જ હતી.
ભજ્જીએ કહ્યું, ' હું તેમની સાથે વાત નથી કરતો જેઓ તેમના ફોન ઉપાડતા નથી. જો તેમને કંઈ કહેવું હોય તો તે મને કહી શકે છે. મેં તેમને ક્યારેય બોલાવવાનો પ્રયાસ કર્યો નથી કારણ કે મારી અંદર ખૂબ જુસ્સો છે. હું એવા લોકોને જ ફોન કરું છું જેઓ મારા ફોનનો જવાબ આપે છે. સંબંધને હંમેશા બંને પક્ષના સહકારની જરૂર હોય છે. જો હું તમારો આદર કરું છું, તો હું અપેક્ષા રાખું છું કે તમે મને માન આપો અથવા તમે મને જવાબ આપો. જો હું તમને એક કે બે વાર ફોન કરું પણ કોઈ જવાબ ન મળે, તો હું તમને સામેથી બોલાવવાનો કોઈ પ્રયાસ નથી કરતો.'
વધુ વાંચો કોણ છે આ ધનવાન ક્રિકેટર? જેની સામે કોહલી પણ પાણી ભરે! જે 70000 કરોડનો છે માલિક
ધોનીને લઈને હરભજનના સૂર બદલાતા રહે છે
બે પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચેના વિવાદના સમાચાર ઘણી વખત સામે આવ્યા છે. હરભજને અનેક વખત પૂર્વ ભારતીય કેપ્ટન પર પોતાના નિવેદનોથી નિશાન સાધ્યું છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન ભજ્જીએ કહ્યું હતું કે, તે હજુ થોડા વર્ષો ક્રિકેટ રમી શક્યો હોત. જોકે, તેને ટીમ મેનેજમેન્ટ તરફથી એમએસ ધોની જેટલો સપોર્ટ ન મળ્યો.
ભજ્જીએ તેના આપેલા નિવેદનો પરથી યુ-ટર્ન લીધો
આ પછી, ગયા વર્ષે માર્ચમાં એક અન્ય ઇન્ટરવ્યુમાં ભજ્જીએ તેના આપેલા નિવેદનો પરથી યુ-ટર્ન લીધો અને કહ્યું કે તેને ધોની સામે કોઈ ફરિયાદ નથી અને બંને ખૂબ સારા મિત્રો છે. હરભજને કહ્યું હતું- મને એમએસ ધોનીથી કેમ સમસ્યા થશે? અમે ભારત માટે ઘણું ક્રિકેટ રમ્યા અને અમે ઘણા સારા મિત્રો છીએ. તે તેના જીવનમાં વ્યસ્ત થઈ ગયો અને હું મારા જીવનમાં વ્યસ્ત થઈ ગયો. અમે ઘણી વાર મળતા નથી, પરંતુ સંબંધોમાં કોઈ તિરાડ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.