ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને રાજ્યસભા સાંસદ હરભજનના એક પત્રએ પંજાબ ક્રિકેટમાં સનસની મચાવી દીધી છે. તેમણે ઘણા અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યાં છે.
ભારતના પૂર્વ ક્રિકેટર હરભજને કર્યો મોટો ખુલાસો
હરભજનના એક પત્રએ પંજાબ ક્રિકેટમાં મચાવી સનસની
પંજાબ ક્રિકેટ એસોસિએશનના ઘણા અધિકારીઓ પર લગાવ્યાં આરોપ
હરભજન સિંહે લગાવ્યો આરોપ
ભારતના પૂર્વ ક્રિકેટર અને પંજાબ ક્રિકેટ સંઘના મુખ્ય સલાહકાર હરભજન સિંહે હાલમાં એક મોટો ખુલાસો કર્યો છે, જેણે ક્રિકેટ જગતમાં સનસની મચાવી દીધી છે. હરભજન સિંહે પીસીએના કેટલાંક અધિકારીઓ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. હરભજન સિંહે આરોપ લગાવ્યો છે કે પંજાબ ક્રિકેટ એસોસિએશનના અમુક અધિકારી ગેરકાયદે ગતિવિધિઓમાં સામેલ છે.
હરભજન સિંહના પત્રએ મચાવી સનસની
હરભજન સિંહે પત્ર પંજાબ ક્રિેકેટ એસોસિએશનના સભ્યો અને સંઘના જિલ્લા એકમોને મોકલવામાં આવ્યો છે. હરભજન સિંહે આ પત્રમાં એવા પદાધિકારીઓનુ નામ ના લીધુ જેના પર તેમણે આરોપ લગાવ્યાં છે. રાજ્યસભા સાંસદ હરભજને મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો.
ભજ્જીએ લગાવ્યાં ગંભીર આરોપ
તેમણે પત્રમાં લખ્યું, પીસીએ 150 સભ્યોને મતાધિકારની સાથે સામેલ કરવા ઈચ્છે છે. કારણકે તેનુ પલડુ ભારે રહે. આ બધુ મુખ્ય સલાહકારની સલાહ વગર અથવા શીર્ષ પરિષદને પૂછ્યા વગર કરાઈ રહ્યું છે. આ બીસીસીઆઈ બંધારણ, પીસીએના દિશા-નિર્દેશની વિરુદ્ધ છે અને રમત એકમોના પારદર્શિતાના નિયમનુ પણ ઉલ્લંઘન છે. તેમણે વધુમાં કહ્યું, પોતાની ગેરકાયદે ગતિવિધિઓને છુપાવવા માટે તેઓ પીસીએની ઔપચારિક બેઠકો બોલાવી રહ્યાં નથી અને જાતે બધા નિર્ણયો લઇ રહ્યાં છે.