ભારતીય ટીમે વિશ્વ કપ અત્યાર સુધી બે વખત જીત્યો છે. પહેલી વખત 1983માં અને બીજી વખત વર્ષ 2011માં.
વર્ષ 2011ના વિશ્વ કપની જીતનો શ્રેય ધોનીના ફાળે
દિગ્ગજ ઑફ સ્પિનર હરભજન સિંહે સવાલ ઉભા કર્યા
MS ધોનીએ વિશ્વ કપ જીતાડ્યો તો બાકી ખેલાડીઓએ શું કર્યુ?
પહેલા વિશ્વ કપની જીતનો શ્રેય કપિલ દેવના ફાળે જાય છે
પહેલા વિશ્વ કપની જીતનો શ્રેય મહાન ઑલરાઉન્ડર અને તત્કાલીન કપિલ દેવને જાય છે તો બીજા વિશ્વકપની જીતનો શ્રેય ટીમના કેપ્ટન અને વિકેટકીપર બેટર મહેન્દ્ર સિંહ ધોનીને આપવામાં આવે છે. હવે ધોનીને ક્રેડિટ આપતા દિગ્ગજ ઑફ સ્પિનર હરભજન સિંહે સવાલ ઉભા કર્યા છે. વર્ષ 2011ના વિશ્વ કપની વાત કરીએ તો આ આખી ટુર્નામેન્ટમાં ઓલરાઉન્ડર યુવરાજ સિંહનું પ્રદર્શન ખૂબ જ પ્રભાવશાળી રહ્યું હતુ. ફાઈનલ સુધી પહોંચવામાં ભારતીય ટીમની મોટી ભૂમિકા રહી છે. પરંતુ જીતનો સંપૂર્ણ જશ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને અપાતા હરભજન સિંહે સવાલ ઉભા કર્યા છે. વિશ્વ કપ જીતનારી ટીમનો ભાગ રહેલા હરભજન સિંહે ધોનીને ક્રેડિટ આપતા નારાજગી દર્શાવી છે.
હરભજન સિંહે દર્શાવી નારાજગી
હરભજન સિંહે સ્ટાર સ્પોર્ટસ પર કહ્યું કે ઓસ્ટ્રેલિયાએ જ્યારે વિશ્વ કપમાં જીત નોંધાવી તો દરેક વખતે કોઈ પણ એવુ કહે છે કે દેશે વિશ્વ કપ જીતાડ્યો. વર્ષ 2011માં ભારતીય ટીમે જ્યારે વિશ્વ કપ જીત્યો તો ક્રિકેટ પ્રેમીઓએ કહ્યું, એમએસ ધોનીએ વિશ્વ કપ જીતાડ્યો. જો આ વાત હોય તો બીજા 10 ખેલાડીઓ ત્યાં લસ્સી પીવા ગયા હતા? ગૌતમ ગંભીરે શું કર્યુ? બીજા ખેલાડીઓએ શું કર્યુ? ક્રિકેટને ટીમ ગેમ બતાવતા હરભજને કહ્યું કે જ્યારે સાત-આઠ ખેલાડીઓ સારું પ્રદર્શન કરે તો ટીમ આગળ વધે છે.
ભારતીય ટીમે 28 વર્ષ બાદ જીત્યો હતો વિશ્વ કપ
ભારતીય ટીમે વર્ષ 2011માં 28 વર્ષ બાદ આઈસીસી વિશ્વ કપ જીત્યો હતો. ફાઈનલ મેચમાં ધોનીએ 91 રન બનાવ્યાં હતા. આ મેચના અંતમાં નુવાન કુલસેકરાની બોલમાં ધોનીએ વિજયી છગ્ગો ફટકાર્યો અને તેમણે પોતાને વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિનિશરના રૂપમાં સ્થાપિત કરી દીધા. જો કે, જીતનો સંપૂર્ણ શ્રેય ધોનીને આપતા ગૌતમ ગંભીર પણ નારાજગી દર્શાવી ચૂક્યા છે.