આઠ વર્ષમાં બનીને તૈયાર થયેલાં સત્તર ઘાટ પુલનો એક એપ્રોચ રોડ બુધવારે પાણીના દબાણ હેઠળ ધોવાઈ ગયો હતો. 16 જૂને સીએમ નીતીશ કુમારના ઉદ્ઘાટનના માત્ર 30 દિવસમાં જ એપ્રોચ રોડ ધરાશાયી થવાની આ ઘટના ગુરુવારે દેશના મીડિયામાં હેડલાઇન્સમાં હતી. આ દરમિયાન રાજકારણ સહિત ઘણાં લોકોએ આ અંગે પ્રતિક્રિયા આપી છે અને તેના કામ અને મટિરિયલની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા કર્યા છે. આ જ ક્રમમાં ક્રિકેટર હરભજન સિંહે પણ પોતા પ્રતિક્રિયા આપતા પૂછ્યું કે, શું પુલ રેતીમાંથી બનાવવામાં આવ્યો હતો?
સત્તરઘાટ પુલનો રોડ 1 જ મહિનામાં પાણીના દબાણ હેઠળ ધોવાઈ ગયો
16 જૂને સીએમ નીતીશ કુમારના આનું ઉદ્ઘાટન કરાયું હતું
હવે ક્રિકેટર હરભજન સિંહે આ ઘટના સામે સવાલ કર્યા છે
આ મામલે ક્રિકેટર હરજભજન સિંહે પણ ટોણો માર્યો છે અને પોતાની પ્રતિક્રિયા આપતા ટ્વિટર પર લખ્યું- કયું સિમેન્ટ વાપર્યું હતું ભાઈ...કે માત્ર રેતીમાંથી જ બનાવી દીધું હતું. તમને જણાવી દઈએ કે, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 16 જૂને વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા ગોપાલગંજમાં બનેલાં સત્તરઘાટ પુલનું ઉદ્ધાટન કર્યું હતું. આ પુલથી લગભગ બે કિમી દૂર ગોપાલગંજ તરફ 18 મીટર લંબાઈનો નાના પુલ પાણીના જોરદાર પ્રવાહથી તૂટી ગયો છે. આ નાનો પુલ ગંડક નદી પર છે. જ્યારે સત્તરઘાટ પુલ હજી સલામત છે.
New bridge ?? Kon sa cement use kiya bhai.. sirf sand se bna diya kya ?? https://t.co/G9JRmy9A3p
— Harbhajan Turbanator (@harbhajan_singh) July 17, 2020
બિહારના ગોપાલગંજ જિલ્લામાં છપરા અને સત્તરઘાટના મુખ્ય રસ્તાને જોડતા પુલનો એક હિસ્સો તૂટી જતા બિહારમાં હોબાળો મચ્ચો છે. જોકે, આ મામલે ઘણું રાજકરણ પણ રમાયું. ખાસ કરીને બિહારના વિપક્ષી દળોએ આ મામલે નીતિશ સરકારના રેઢિયાળ કામ પર ખૂબ પ્રહારો કર્યા. તેજસ્વી યાદવે મુખ્ય પ્રધાન નીતીશકુમારને ભ્રષ્ટાચારના ભીષ્મ પિતામહ પણ કહી દીધા. એનડીએમાં સામેલ એલજેપીના અધ્યક્ષ ચિરાગ પાસવાને પણ આ ઘટનાની ઉચ્ચ તપાસ અને દોષીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
બીજી તરફ બિહારના માર્ગ નિર્માણ મંત્રી નંદ કિશોર યાદવે સત્તરઘાટ પુલનો વીડિયો શેર કરતાં કહ્યું કે જે પુલ વિશે વાત કરવામાં આવી રહી છે તે સંપૂર્ણપણે સલામત છે અને જે પુલ તૂટી ગયો છે તે એપ્રોચ બ્રિજ છે અને સત્તરઘાટથી બે કિમી દૂર સ્થિત છે. આ સાથે જ નંદકિશોર યાદવે તેજસ્વી યાદવ પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.