ટીમ ઇન્ડિયાનો ઑફ સ્પિનર હરભજન સિંહ અને તેની પત્ની ગીતા બસરા લૉકડાઉનના દિવસોમાં જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે આગળ આવ્યા છે. ભજ્જીએ જણાવ્યુ કે, તે અને તેમની પત્ની ગીતા બસરા જલંધરમાં 5000 પરિવારને આ મુશ્કેલીની સ્થિતિમાં રાશન ઉપલબ્ધ કરાવી રહ્યા છે.
કોરોના વાયરસનો સંકટ વિશ્વભરના તમામ દેશોમાં ઉભો થઇ ગયો છે, ભારતમાં અત્યાર સુધી હજારો લોકો આ વાયરસથી સંક્રમિત થઇ ગયા છે, એવામાં લોકોને જીવનજરૂરિયાતની વસ્તુઓ પૂરી કરવા માટે બોલિવુડ સેલેબ્સની સાથે સાથે સ્પોર્ટ્સ જગતની હસ્તીઓ પણ આગળ આવી રહી છે.
Satnam waheguru.. bas Himmat hosla dena 🙏🙏 @Geeta_Basra and I pledge to distribute ration to 5000 families from today 🙏🙏 May waheguru bless us all pic.twitter.com/s8PDS9yet1
— Harbhajan Turbanator (@harbhajan_singh) April 5, 2020
હરભજન સિંહે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર જાણકારી આપતા કહ્યુ છે કે, ''સતનામ વાહેગુરુ.. બસ હિંમત-હોંસલો આપજે... ગીતા બસરા અને હું આજથી વ્રત લઇએ છીએ કે, 5000 પરિવારને કરિયાણું વહેંચીશું. વાહે ગુરુ અમારા પર બધા પર કૃપા કરે.''
આ સિવાય પોતાના ટ્વીટ પર હરભજને કેટલીક ફોટોઝ પોસ્ટ કરીને મેસેજ પણ લખ્યો છે કે, ''ભગવાનના આશીર્વાદથી હું અને ગીતા બસરા જલંધરના રહેનારા 5000 એવા પરિવારોને કરિયાણું આપીશું જે મુશ્કેલીમાં પોતાના પરિવારનું પેટ ભરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.''
ભજ્જીએ પોતાના મેસેજનાં આગળ કહ્યુ કે, ''આપણે આપાણા સાથી નાગરિકોને ભા ઓછો કરવા પ્રયત્ન કરીશું. સુરક્ષિત રહો, અંદર રહો અને સકારાત્મક રહો. ભગવાન આપણા બધા પર દયા કરે. જય હિંદ'' આ ટ્વીટ ગીતાએ પોતાના એકાઉન્ટ પર પોસ્ટ કરી જેને હરભજન ફરે રીટ્વીટ કરી છે.