દિગ્ગજ ટેક કંપની ગૂગલ અને અલ્ફાબેટના સીઇઓ સુંદર પીચાઇને કંપનીના 500 કર્મચારીઓએ પત્ર લખીને ગૂગલમાં ચાલી રહેલા ઉત્પીડનની ફરિયાદ કરી હતી.
ગૂગલની ઑફીસમાં ઉત્પીડન
500 કર્મચારીઓએ લખ્યો પિચાઇને પત્ર
આલ્ફાબેટના પણ સીઇઓ છે પિચાઇ
ગૂગલમાં પહેલા એન્જીનીયર તરીકે કામ કરી ચૂકેલ એમિએ ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાં લખેલા પોતાના ઓપીનિયનમાં લખ્યું કે તે શખ્સ સાથે એક પછી એક મિટીંગ કરવા માટે મજબૂર કરી રહ્યો હતો અને પરેશાન કરતો હતા. એમીના આ નિવેદન બાદ મામલો બિચક્યો હતો.
એમીએ આ પણ લખ્યું
એમિએ પોતાના નિવેદનમાં લખ્યું કે મને પરેશાન કરનાર વ્યક્તિ આજે પણ મારી સાથે જ બેસે છે. મારા મેનેજરે મને કહ્યું કે એચ આર દ્વારા તેના ડેસ્કને બદલવાની વાત કરી તો તેણે કહ્યું કે ઘરેથી કામ કર અથવા રજા પર જતી રહે. જો કે હજુ સુધી આ વાત વિશે ગૂગલે કોઇ અધિકારીક નિવેદન આપ્યુ નથી.
સુંદર પિચાઈને લખાયેલા પત્રમાં કર્મચારીઓએ જણાવ્યું છે કે આલ્ફાબેટના 20000થી વધુ કર્મચારીઓ ઉત્પીડનનો વિરોધ કરે છે અને પીડિત વ્યક્તિને સુરક્ષા આપી છે તેમ છતાં આલ્ફાબેટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને તે ગૂગલના નિયમોનું પાલન કરવામાં અસમર્થ રહ્યું છે. ઉત્પીડનની ફરિયાદ કરનારી વ્યક્તિને સહન કરવાની ફરજ પડે છે
તે પછી તે વ્યક્તિ ઑફિસ છોડી દે છે, પરંતુ પરેશાન કરનાર વ્યક્તિ ત્યાં જ રહે છે. વર્કર્સે તેમ પણ લખ્યું હતું કે આલ્ફાબેટના કર્મચારી એવા માહોલમાં કામ કરવાની ઇચ્છા ધરાવે છે જ્યાં તેમને કોઇ આ રીતે હેરાન ન કરે અને જો કરે તો કંપની તેના પર એક્શન લે.