રાજકોટમાં ફરી એક વખત વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે. વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે જીવન ટૂંકાવ્યું છે.સતત બીજા દિવસે વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે.
વ્યાજખોરોના ભોગે એક યુવકે ઝેરી દવા પીને જીંદગી ટૂંકાવી દીધી છે. વ્યાજખોર કાન મૈયડ લાલ ભરવાડ પ્રવિણ ગઢવી કાળુ શિયાળીયા 5-10% જેટલુ વ્યાજ વસુલતા હતા. આ વ્યાજખોરોએ યુવક પાસે કોરા ચેકમાં સહી કરાવી લીધી હતી. વારંવાર યુવાનને ચેક રિટર્ન કરાવવાની ધમકી આપતા હતા જેના કારણે યુવકને માનસિક તણાવમાં સામનો કરવો પડી રહ્યો હતો.
જેના પગલે ઝેરી દવા પીને યુવકે આપધાત કરી લીધો છે. તો આ મામલે રાજકોટના માલવિયાનગર પોલીસ મથકમાં 5 જેટલા વ્યાજખોર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે વ્યાજખોરોની ફરિયાદ નોંધી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.