સ્વતંત્રતા દિવસની પહેલા 13થી 15 ઓગસ્ટ સુધી 'હર ઘર તિરંગા અભિયાન' યોજના લાગૂ થશે અને દરેક રેલકર્મી પોતાના ઘરો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે.
સ્વતંત્રતા દિવસ અગાઉ હર ઘર તિરંગા અભિયાન શરૂ થશે
રેલ કર્મચારીઓને પણ હર ઘર તિરંગામાં જોડાવા નિર્દેશ મળ્યા
જેના માટે રેલ કર્મીઓને ઝંડો આપવામાં આવશે, તેના 38 રૂપિયા પગારમાં કપાશે
સ્વતંત્રતા દિવસની પહેલા 13થી 15 ઓગસ્ટ સુધી 'હર ઘર તિરંગા અભિયાન' યોજના લાગૂ થશે અને દરેક રેલકર્મી પોતાના ઘરો પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવશે. તેના માટે રેલ્વે પોતાના કર્મચારીઓને પોતાના ઘરે તિરંગો ઝંડો ફરકાવવા માટે આપશે અને તેના માટે પગારમાંથી દરેક ઝંડા દીઠ 38 રૂપિયા કાપશે. રેલ્વેનો આ આદેશ યુનિયન નેતાઓને પસંદ નથી આવી રહ્યો અને તેનો આકરો વિરોધ પણ કરી રહ્યા છે.
નોર્થ સેન્ટ્રલ રેલ્વે એમ્પોલઈઝ સંઘના કર્મચારીઓએ તેના પર નારાજગી વ્યક્ત કરી છે. સંઘના મંત્રી ચંદન સિંહે કહ્યું કે, રેલકર્મી ખુદ રાષ્ટ્રભક્ત છે અને પોતાના પૈસાથી સ્વયં તિરંગો ખરીદશે. તેમના પર આ પ્રકારનો નિયમ થોપવો જોઈએ નહીં. તો વળી આ આદેશને લઈને ઝોનલ મહામંત્રી આરપી સિંહે પણ કહ્યું કે, સ્ટાફ બેનિફિટ ફંડથી ઝંડો ખરીદવામાંં આવે અને તેના માટે અમારા વેતનમાંથી પૈસા ન કાપવામાં આવે. જાણકારી અનુસાર, રેલ્વે કર્મચારીઓને વહેંચવામાં આવતો તિરંગો એક ખાનગી એજન્સી આપી રહી છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રેલ્વે બોર્ડે 15 ઓગસ્ટના રોજ તમામ ઝોન મહાપ્રબંધક, કારખાના, આરપીએફ અને હોસ્પિટલ મેનેજમેન્ટને પત્ર લખીને સૌને પોતાના ઘરે તિરંગો ઝંડો ફરકાવવા માટે નિર્દેશ આપ્યો છે. આ તિરંગો ખરીદવા માટે સ્ટાફ બેનિફિટ ફંડથી કરવાની અને બાદમાં રેલકર્મીઓના ખાતામાંથી પૈસા કર્મચારી લાભ કોષમાં મોકલવામા આવશે, પણ કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે, રેલકર્મીઓને આપવામાં આવતો ઝંડાની કિંમત ભાજપની ઓફિસમાં 20 રૂપિયા છે, જ્યારે મુખ્ય પોસ્ટ ઓફિસમાં તેને 25 રૂપિયે ખરીદી શકાય છે. સ્વ સહાય જૂથમાં આ ઝંડો 20 રૂપિયામાં મળી રહ્યો છે.