દેશમાં આગામી 13થી 15 ઓગસ્ટ દરમિયાન કેન્દ્રની મોદી સરકાર 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ કરવા જઈ રહી છે, જેને લઈને કેબિનેટ સચિવે તમામ સચિવો અને મંત્રાલય તથા સંબંધિત વિભાગને નિર્દેશ આપ્યા છે.
કેન્દ્ર સરકાર તરફથી દરેક ઘર, ઓફિસ અને સંસ્થાઓમાં તિરંગો ફરકાવવાનું અભિયાન શરૂ થશે
કેબિનેટ સચિવે તમામ વિભાગ અને સંબંધિત મંત્રાલયો માટે દિશા-નિર્દેશ જાહેર કર્યા
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ સચિવોને નિર્દેશ જાહેર કરીને તમામ મંત્રાલયોને 'હર ઘર તિરંગા' અભિયાનના સંબંધમાં સંપૂર્ણ દ્રષ્ટિકોણ અપનાવવા અને તેને વધુમાં વધુ લોકોના સહયોગ સાથે સફળ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર દેશના તમામ નાગરિકોને 13થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘરો, સંસ્થાઓમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની અપીલ કરી છે.
કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ 18 જૂલાઈએ આ અભિયાનના સંબંધમાં સચિવોની સમિતિની બેઠક બોલાવી હતી. જે બાદ તમામ સચિવોને 'હર ઘર તિરંગા' અભિયાનનું સમર્થન અને નેતૃત્વ કરવા માટે અનુરોધની સાથે સાથે નિર્દેશોનો એક સેટ જાહેર કર્યો છે. કેન્દ્રીય સચિવ તરફથી તમામ મંત્રાલયો અને વિભાગોના સચિવોને મોકલવામા આવેલા નિર્દેશમાં લખ્યું છે કે, તમામ મંત્રાલય અને વિભાગ એક સંપૂર્ણ સરકારના દ્રષ્ટિકોણ અપનાવે શકે છે અને સંસ્કૃતિ મંત્રાલયની સાથે મળીને તે નક્કી કરી શકે છે કે, હર ઘર તિરંગા અભિયાનના ઉદ્દેશ્યને પુરો કરી શકાય. તમામ મંત્રાલય અને વિભાગ ખાસ પ્રવૃતિઓના માધ્યમથી આ અભિયાનને ગતિ મળશે. સંસ્થાગત મશીનરી અને રાજ્યોમાં પોતાની પહોંચનો લાભ ઉઠાવો. તેને જન કેન્દ્રિત આંદોલન બનાવવા માટે વધુમાં વધુ ભાગીદારી લોકોની થાય તે નક્કી કરો અને તમામ ક્ષેત્રનાં નાગરિકો તેમાં જોડાય તે પણ જોવા માટે નિર્દેશ આપ્યા છે.
તમામ મંત્રાલયો અને વિભાગોને પોતાના કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યમો અને સંબંધિત ઉદ્યોગ સંઘ અને કોર્પોરેટ ક્ષેત્રને ઝંડા ખરીદવા અને વિતરણમાં મદદ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે હાલમાં જ હર ઘર તિરંગા અભિયાનને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબિલિટી ગતિવિધિ તરીકે પણ સામેલ કર્યું છે.
તમામ મંત્રાલયો અને વિભાગોની બેઠકો આયોજીત કરવા અને કાર્યક્રમોને પ્રાથમિકતાથી લાગૂ કરવા પર પોતાના સંબંધિત કાર્ય યોજનાઓને અંતિમ રૂપ આપવા માટે અને તે સુનિશ્ચિત કરવા માટે કહેવામાં આવ્યું છે કે, તામમ કર્મચારીઓએ ખરીદી માટે રાષ્ટ્રીય ધ્વજ ઉપલબ્ધ કરાવામાં આવે. મંત્રાલયો અને વિભાગોને પણ સરકારી ઈ માર્કેટપ્લેસ પોર્ટલના માધ્યમથી સીધા ઝંડા માટે પોતાના ઓર્ડર દેવા માટે કહેવામાં આવ્યું છે તથા યોગ્ય માત્રામાં ફ્લેગ સપ્લાયર્સને ઓન બોર્ડ કરવામાં આવે છે.