કોરોના સામે આવતા મહિના દરમિયાન ‘ઘેર ઘેર દસ્તક’ અભિયાન શરુ કરાશે.
કોઈ પણ જિલ્લો એવો ન રહેવો જોઈએ જ્યાં પૂર્ણ રસીકરણ ન થયું હોય- મનસુખ માંડવિયા
‘ઘેર ઘેર દસ્તક’ અભિયાન હેઠળ જલ્દી 48 જિલ્લામાં લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરશે
31 ડિસેમ્બર સુધી તમામ લોકોને પહેલો ડોઝ મળે તેવો પ્રયાસ
કોઈ પણ જિલ્લો એવો ન રહેવો જોઈએ જ્યાં પૂર્ણ રસીકરણ ન થયું હોય- મનસુખ માંડવિયા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે કહ્યું કે ખરાબ પ્રદર્શનવાળા જિલ્લામાં ઘરે ઘરે જઈને કોવિડ 19ના રસીકરણ માટે આવતા મહિના દરમિયાન ‘ઘેર ઘેર દસ્તક’ અભિયાન શરુ કરાશે. તેમણે કહ્યું કે આનો હેતુ લોકોને ઘાતક વાયરસથી બચવા માટે પૂર્ણ રસીકરણ માટે પ્રેરિત કરવાનો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદન અનુસાર વિભિન્ન રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓની સાથે એક રાષ્ટ્રીય સમીક્ષા બેઠક દરમિયાન માંડવિયાએ કહ્યું કોઈ પણ જિલ્લો એવો ન રહેવો જોઈએ જ્યાં પૂર્ણ રસીકરણ ન થયું હોય.
‘ઘેર ઘેર દસ્તક’ અભિયાન હેઠળ જલ્દી 48 જિલ્લામાં લોકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કરશે
તેમણે કહ્યું કે ‘ઘેર ઘેર દસ્તક’ અભિયાન જલ્દી જ ખરાબ પ્રદર્શન કરનારા જિલ્લામાં લોકોને પૂર્ણ રસીકરણ કરવા માટે ઉત્સાહિત કરવા અને પ્રેરિત કરવા માટે શરુ થશે. અમે તમામ લોકોના નવેમ્બર 2021 ના અંત સુધીમાં કોવિડ રસીના પહેલા ડોઝનું લક્ષ્ય રાખીએ છીએ. માંડવિયાએ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને ધનવંતરી જયંતીના પ્રસંગ પર 2 નવેમ્બરે અભિયાનને શરુ કરવાની સલાહ આપી છે. આવા લગભગ 48 જિલ્લાની ઓળખ કરવામાં આવી છે. જ્યાં પાત્ર લાભાર્થીઓમાંથી 50 ટકાથી પણ ઓછા લોકોએ પહેલો ડોઝ લીધો છે.
31 ડિસેમ્બર સુધી આ રાજ્યોમાં કેટલા લોકો સુધી પહોંચશે બીજો ડોઝ
સરકારી આંકડા અનુસાર ગુજરાતમાં અત્યાર સુધી 53.3 ટકા, કેરળમાં 44.9 ટકા, રાજસ્થાનમાં 37.3 ટકા, મધ્ય પ્રદેશના 32.2 ટકા અને હરિયાણાના 38 ટકા લોકોને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર જો રસીની આ જ સ્પીડ રહેશે તો 31 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં 85.6 ટકા, કર્ણાટકમાં 72.6 ટકા કેરળમાં 66.1 ટકા, રાજસ્થાનમાં 51.5 ટકા, મધ્ય પ્રદેશના 62.5 ટકા અને હરિયાણાના 58 ટકા લોકોને બીજો ડોઝ લાગી શકે છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધી 1 અરબ 4 કરોડ 86 લાખ 82 હજાર 689 ડોઝ અપાઈ ચૂક્યા છે. કોવિન પોર્ટલથી મળતી જાણકારી અનુસાર આમાંથી 72 કરોડ 80 લાખ 82 હજાર 38 પહેલા ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 32 કરોડ 6 લાખ 561 બીજો ડોઝ આપવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 78 કરોડ 88 લાખ 83 હજાર 537 લોકોના રસીકરણ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી 18-44ની ઉંમર વાળા 47 કરોડ 91 લાખ 57 હજાર 935 લોકો અને 45 થી ઉપરના 30 કરોડ 9725 હજાર 602 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.