કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારજનોને સાંત્વના આપવા રામપુર જઈ રહ્યા હતા. ત્યારે સવારે તેમની કારથી દિલ્હીથી રામપુર જવા રવાના થયા હતા. આ દરમિયાન પ્રિયંકા ગાંધીના કાફલામાં ચાલી રહેલા કારે હાપુડ જિલ્લાના ગઢમુક્તેશ્વરમાં નેશનલ હાઈવે -9 ફ્લાઈઓવર પર ઘટનાનો શિકાર બની હતી.
મનાઈ રહ્યું છે કે પ્રિયંકા ગાંધીની ગાડી સ્પીડમાં રામપુર તરફ આગળ વધી રહી હતી. ત્યારે ગાડી ગરમ થઈ ગઈ અને ધુમાડો નિકળવા લાગ્યો. આ દરમિયાન ડ્રાઈવરે અચાનક બ્રેક લગાવી હતી. ગાડીના અચાનક રોકાઈ જવાના કારણે કાફલામાં પાછળ ચાલી રહેલી સમર્થકોની ગાડીઓ એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. સદનશીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનમાલનું નુકશાન થયું નથી. મનાઈ રહ્યું છે કે કાર્યકર્તાઓની કારને નુકશાન થયું છે આ દરમિયાન નેશનલ હાઈવે લાંબો ટ્રાફિક જામ થયો છે.
We've come to know that a farmer Navneet ji who came from Canada & was participating in protest peacefully, was shot at by Police & lost his life, during tractor rally. Priyanka Gandhi ji will meet his family at his residence in Rampur today: UP Congress president Ajay Kr Lallu https://t.co/uFx7bRjs52pic.twitter.com/wLrYb7qE6M
27 વર્ષના નવરીત સિંહનું ટ્રેક્ટર પલટી જવાથી મોત થયું હતુ
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ મહાસચિવ અને યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી દિલ્હીમાં 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી ઘટનામાં માર્યા ગયેલા યુવકના પરિવારને મળવા માટે રામપુર રવાના થયા હતા. 27 વર્ષના નવરીત સિંહનું ટ્રેક્ટર પલટી જવાથી મોત થયું હતુ.
પ્રિયંકા લગભગ 11.30 વાગે નવરીતની શોકસભામાં સામિલ થશે
પ્રિયંકા નવરીતના પરિવારજનોને મળવા અને શોક વ્યક્ત કરવા જઈ રહ્યા હતા. કોંગ્રેસ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ પ્રિયંકા લગભગ 11.30 વાગે નવરીતની શોકસભામાં સામિલ થશે. સૂત્રોના જણાવ્યાનુંસાર પહેલા રાહુલ ગાંધીનો તેમની સાથે જવાનો કાર્યક્રમ હતો પરંતુ ગુરુવારે લોકસભા ચાલી રહી છે અને ચર્ચા થવાની સંભાવનાને કારણે હાલમાં પ્રિયંકા ગાંધી જ જઈ રહ્યા હતા. યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂએ કહ્યું કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે રામપુર જશે. 26 જાન્યુઆરી ટ્રેક્ટર રેલી દરમિયાન જીવ ગુમાવનાર ખેડૂત નવનીતના પરિવારને મળશે.
નવરીત સિંહ ઓસ્ટ્રેલિયાથી હાલમાં ભારત પાછો ફર્યો હતો
ઉલ્લેખનીય છે કે નવરીત સિંહ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે ગયો હતો અને હાલમાં ભારત પાછો ફર્યો હતો. ભારત આવ્યા બાદ દિલ્હીની સીમાં પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ભાગ લેવા ગયો હતો. તેની મોત બાદ એવા સમાચાર આવ્યા હતા કે પરિવારને તેના આંદોલનમાં ભાગ લીધો હોવાની જાણ નહોંતી.
રામગોવિંદ ચૌધરીના આવવાની જાણકારી મળી
આજે નવરીત સિંહનો ભોગ અને અંતિમ અરદાસ છે. જેમાં હાજરી આપવા માટે અનેક નેતાઓ પહોંચી શકે છે. પ્રિયંકા ગાંધી ઉપરાંત રાલોદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જયંત ચૌધરી, વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ રામગોવિંદ ચૌધરી ઉપરાંત અન્ય નેતાઓના આવવાની શક્યતા વર્તાઈ રહી છે. એસપી શગુન ગૌતમે જણાવ્યું કે અમે ફક્ત રામગોવિંદ ચૌધરીના આવવાની જાણકારી મળી છે. પ્રિયંકા ગાંધીના આવવાના સત્તાવાર સમાચાર અમારી પાસે નથી.