સુરતમાં થયેલ તક્ષશિલાકાંડમાં મૃતક એક દીકરીના પિતાએ આક્રોશ વ્યક્ત કર્યો. મૃતક હેપ્પી પાંચાણીના પિતાએ 4 લાખની સહાયને નકારી અને 4 લાખની સહાયની અમને નહી પરંતુ ફાયર બ્રિગેડને જરૂર છે તેમ કહ્યુ. તેમજ હું 4 લાખની સહાયમાં બીજા 4 લાખ રૂપિયા ઉમેરીને ફાયર બ્રિગેડને આપીશ તેવી વાત કરી. આમ, ગુજરાતના લોકોની વેદના હેપ્પીના પરિવારે રજૂ કરી. અને ફાયર બ્રિગેડને શસક્ત કરવા માટે સરકારને કટાક્ષમાં સંકેત આપ્યો. મળતી માહિતી મુજબ સુરતમાં તક્ષશિલાકાંડમાં અત્યાર સુધી 22 દીકરા-દીકરીઓના મોત થયા છે. જેમાં હેપ્પી પાંચાણીનો પણ સમાવેશ થાય છે. મહત્વનું છે કે, સુરતમાં થયેલા તક્ષશિલાકાંડ બાદ સરકાર દ્વારા મૃતકના પરિવારોને રૂપિયા 4 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. જેને લઈને મૃતક હેપ્પી પાંચાણીના પિતાએ 4 લાખની સહાયમાં બીજા 4 લાખ રૂપિયા ઉમેરીને ફાયર બ્રિગેડને આપવાની વાત કરી. અને આમ, ફાયર બ્રિગેડને શસક્ત કરવા માટે સરકારને કટાક્ષમાં સંકેત આપ્યો.