1941માં જ્યારે અમદાવાદમાં હુલ્લડ ફાટી નીકળ્યા હતા ત્યારે તંત્ર પર કટાક્ષ કરતુ કાર્ટૂન ઝવેરચંદ મેઘાણી દ્વારા ફૂલછાપ અખબારમાં છાપવામાં આવ્યું હતું. જે બદલ તેમના પર કેસ ચાલ્યો હતો અને તેમણે આ વાત પર ખુલાસો કર્યો હતો.
રાષ્ટ્રીય શાયર મેઘાણીનો જન્મદિવસ
તેમની વિરુદ્ધ થયો હતો કેસ
ઝવેરચંદ મેઘાણીના જન્મદિવસની ઉજવણી
મેઘાણીએ કહ્યું હતું કે, હું ઝવેરચંદ મેઘાણી તોહમતદાર નં-1 મારો લેખિત જવાબ રજૂ કરુ છું અને મે કોઇ ગુનાહિત કૃત્ય કર્યુ નથી. હું ફૂલછાબનો તંત્રી છુ અને પત્રકારત્વ મારો ધંધો છે. મારી ફરજો હું સમજુ છુ અને તેનુ પાલન છેલ્લા 20 વર્ષથી કરી રહ્યો છું.
યુનિવર્સિટી છોડ્યા બાદ મારો મુખ્ય વ્યવસાય સૌરાષ્ટ્રના કંઠસ્થ સાહિત્યોમાં સંશોધન કરવાનો હતો અને છે. તે સિવાય નવલકથાઓ, સામાજીક વાર્તાઓ, જીવનકથાઓ અને કાવ્યો પણ લખ્યા છે. હું રાષ્ટ્રવાદી છુ અને કોમવાદનો કટ્ટર વિરોધી છું. ઇસ્લામના યશોગાન મેં મારી કૃતિઓમાં કર્યા છે.
મુસ્લિમ પાત્રોને મેં ઉંચી કક્ષા પર મૂક્યા અને આંક્યા છે. ફૂલછાબના અંકોમાં કોમીવાદ વિરુદ્ધ પ્રચાર કર્યો છે.
ફરિયાદવાળા ઠઠ્ઠાચિત્રોનો ખરો અર્થ તેના શીર્ષકમાં બતાવ્યા મુજબ છે. અમદાવાદ શહેરમાં બેફામ ગુંડાગીરી પ્રવર્તી રહી હતી, ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવનારા અધિકારીઓ કર્તવ્ય ભૂલ્યા તે અર્થ છે.