ટીવી એક્ટર્સમાં એક ખાસિયત હોય છે, તે જે રોલ પ્લે કરે છે દર્શકોના મનમાં તેમની તેવી જ ઇમેજ બની જાય છે. તે કોઇ બીજો મોટો રોલ ન કરી લે ત્યાં સુધી તે જ નામથી લોકો સંબોધ્યા કરે છે. આવા જ એક એક્ટર છે સૌરભ રાજ જૈન. કદાચ નામથી તમે નહી જાણી શકો પરંતુ મહાભારતના કૃષ્ણ તરીકે તમે જરૂર ઓળખતા હશો.
સૌરભ રાજ જૈનનો જન્મદિવસ
શ્રીકૃષ્ણ બન્યા બાદ થયા હતા ટાઇપકાસ્ટ
હોલિવૂડમાં કર્યુ છે કામ
સૌરભને લોકો કૃષ્ણ તરીકે જ ઓળખે છે અને તેમણે ભલે કરિયરની શરૂઆત બીજા રોલથી કરી હોય પરંતુ જ્યારથી તેમણે કૃષ્ણનું પાત્ર ભજવ્યું છે ત્યારથી લોકો તેમને ભગવાન તરીકે જ ઓળખે છે. કૃષ્ણના રોલ બાદ તે લાંબા સમય સુધી ટાઇપકાસ્ટ રહ્યા. તેમને પૌરાણિક સિરીયલમાં જ કામની ઑફર આવતી હતી. આજે તેમનો જન્મદિવસ છે ત્યારે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો જાણીએ.
સૌરભે મૉડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તે ટીવી સિરીયલ રીમિક્સમાં નજર આવ્યા હતા. 2004માં આવેલ આ સિરીયલમાં તેમનું કામ સારુ હતુ પરંતુ ઓળખાણ મળી ન હતી.
તે બાદ સૌરભે મીત મિલા દે રબ્બા અને રામ કપૂરની સિરીયલમાં કામ કર્યુ. સૌરભને જય શ્રી કૃષ્ણમાં ભગવાન વિષ્ણુનુ પાત્ર ભજવવાની તક મળી. આ જે તેમનો બ્રેક થ્રુ રોલ હતો.
જે બાદ તેમને મહાભારતમાં વિષ્ણુ અને કૃષ્ણનો રોલ ભજવવા મળ્યો બસ, બાદમાં દર્શકોના દિલમાં તેમની એક અલગ જગ્યા બની ગઇ. સૌરભ પોતાના કૃષ્ણના રોલમાં એવા ટાઇપ કાસ્ટ થયા કે તેમાંથી બહાર આવતા તેમને ઘણો સમય લાગ્યો હતો.
હોલિવૂડમાં કર્યુ છે કામ
તમારા ફેવરિટ કૃષ્ણ વિશે તમને જાણ નહી હોય કે તે હોલિવૂડમાં પણ ફિલ્મ કરી ચૂક્યા છે. જેમાં તે બિગ બોસની પૂર્વ કન્ટેસ્ટન્ટ ક્લોડિયા સિએસ્લામા પ્રેમી બન્યા હતા. આ થ્રિલર ફિલ્મને કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં પણ જોવામાં આવી હતી.
આ સિવાય સૌરભે એક ઇન્ડોનેશિયન ફિલ્મમાં અને તેલૂગુ ફિલ્મમાં કામ કર્યુ છે. પર્સનલ લાઇફમાં સૌરભે રિદ્ધિમા જૈન સાથે લગ્ન કર્યા છે અને તેમને જોડકા બાળકો પણ છે.