આજે વડાપ્રધાન પીએમ મોદીનો 70મો જન્મદિવસ છે ત્યારે તેમની બચપણની યાદોમાંથી કેટલીક મહત્વની યાદોમાં વડનગર રેલવે સ્ટેશન પર આવેલી ચા ની કીતલી પણ સામેલ છે. આ કીતલી જોવા દેશ વિદેશથી લોકો અહીં આવે છે ત્યારે આવો જાણીએ કે એવું તે શું ખાસ છે આ કીતલીમાં?
આજે વડાપ્રધાન મોદીનો 70મો જન્મદિવસ
કેમ ખાસ છે ચાની કિટલી
વડનગર રેલવેસ્ટેશનને અપગ્રેડ કરવા 8 કરોડ ફાળવાયા
આજે વડાપ્રધાન મોદીનો 70મો જન્મદિવસ છે ત્યારે તેમના બાળપણની એક અમૂલ્ય યાદી ખાસ છે અને તે દેશ-વિદેશના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. અને તે છે વડનગર રેલવે સ્ટેશન પર આવેલી ચાની કીટલી. જી હા આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. ઐતિહાસિક નગર સાથે સાથે વડનગરનું મહત્વ પીએમ મોદીના વતનને કારણે વધી જાય છે.
કેમ ખાસ છે ચાની કિટલી
વડનગર રેલવે સ્ટેશન પર સ્થિત આ ચાની દુકાન પર બાળપણમાં પીએમ મોદી તેમના પિતા દામોદાર મોદીને ચા વેચવામાં મદદ કરતા હતા. અત્યાર સુધી લાખો લોકોએ આ ચાની દુકાનની મુલાકાત લીધી છે અને સતત આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જોકે હવે સહેલાણીઓની સંખ્યા સતત વધતા અને સ્થાનની લોકપ્રિયતામાં વધારો થયો છે જેને પગલે વડનગર રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં તાનારીરી મહોત્સવ હાટકેશ્વર મંદિર, કિર્તી તોરણ સહિતની જણસનું મૂલ્ય અને ઐતિહાસિક રીતે તો છે પણ હવે તેને જન જન સુધી પહોંચાડવાનું બીડુ ઝડપવામાં આવ્યું છે.
વડનગર રેલવેસ્ટેશનને અપગ્રેડ કરવા 8 કરોડ ફાળવાયા
લાકડાની બનેલી આ દુકાનને તેના મૂળ સ્વરુપે જ રાખવા માટે હવે તેના ફરતે કાચનું કવર બનાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય પ્રવાસન વિભાગ આ સ્થળને એક ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસિત કરવા માગે છે. વડનગર સ્ટેશનને વિકસિત કરવા માટે 8 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ વડનગર અને ઉંઝા વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રવાસીઓ હાટકેશ્વર મહાદેવ મંદિર પર જાય છે. જ્યાં પીએમ મોદી ઘણીવાર પૂજા કરવા જતા હોય છે. તેથી ત્યાં પણ સુવિધાઓ વધારવામાં આવી છે.