ગુજરાતના 2002ના કોમી રમખાણો વખતે મહાશ્વેતા દેવીએ બેબાક અને નીડર બનીને તે વખતના તત્કાલિન રાષ્ટ્રપતિ કે આર નારાયનાને અપીલ કરી હતી. મહાશ્વેતા દેવી હંમેશા સળગતા પ્રશ્નો અને સમાજના સાવ પાછળ રહી ગયેલા લોકોનો અવાજ ઉઠાવવામાં આગળ રહેતા હતા. આજે 14મી જાન્યુઆરીએ તેમનો જન્મદિવસ છે.
કોણ હતા મહાશ્વેતા દેવી
શું છે મહાશ્વેતા દેવીનું ગુજરાતી કનેક્શન
તે હંમેશા પછાત લોકોના પ્રશ્નો ઉઠાવતા હતા
14 જાન્યુઆરી 1926ના રોજ ઢાકામાં જન્મેલાં મહાશ્વેતાની મૂળ વિદ્યા કવિતા જ હતી. પણ 1956માં ‘ઝાંસી કી રાની’ એ તેમને કથાકાર બનાવી દીધાં. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું પણ હતું કે ‘ઝાંસી કી રાની’ લખ્યા બાદ જ સમજી શકી હતી કે કથાકાર બનીશ. આ પુસ્તક ચિરંજીવી હતું. તે માત્ર કલમકારની કલ્પના જ નહતી, પણ સત્યનો અરીસો હતો. તેને તેમણે સાગર, જબલપુર, પૂણે, ઇન્દોર, લલિતપુરનાં જંગલો, ઝાંસી, ગ્વાલિયર, કાલપીમાં થયેલી તે તમામ ઘટનાઓ સાથે રાખીને લખ્યું હતું, જે 1857ના સંગ્રામ દરમિયાન થઇ હતી. તેમની ઘણીખરી રચનાઓના આધારે ફિલ્મો પણ બનાવાઇ હતી.
ગુજરાત કનેક્શન
2જી માર્ચ 2002માં મહાશ્વેતી દેવીએ ગુજરાતના ગોધરા કાંડ અને એ બાદ થયેલા કોમી રમખાણો અને લોકોના ડર અંગે રાષ્ટ્રપતિને કંઈક કરવા અપીલ કરી હતી. તે રમખાણોનો ભોગ બનેલા લોકોનો અવાજ બન્યા હતા.
તેમની નવલકથાઓ ઉપરથી ફિલ્મો બની છે
ગોવિંદ નિહલાનીએ 1998માં ‘હજાર ચૌરાસી કી મા’ બનાવી. તેમાં એવી માતાનો ભાવનાત્મક સંઘર્ષ છે જે નક્સલ આંદોલનમાં દીકરાના જોડાવાનું કારણ સમજી શકતી નથી. 1993માં કલ્પના લાઝમીએ નવલકથા ‘રૂદાલી’ પર તે નામે ફિલ્મ બનાવી હતી. ઇટાલિયન નિર્દેશક ઇતાલો સ્પિનેલીએ તેમની લઘુકથા ‘ચોલી કે પીછે’ ના આધાકે ‘ગંગૂર’નામે ઘણી ભાષામાં ફિલ્મો બનાવી હતી.
ઘણા એવોર્ડ અને સન્માન મેળવ્યા હતા
1979માં તેમને સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો જ્યારે 1986માં પદ્મશ્રી અને 1997માં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. તેમને પદ્મવિભૂષણ, સાહિત્ય એકેડ્મી અવોર્ડ, રેમન મેગ્સેસે અવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
આખરે 90 વર્ષે તેમણે ફાની દુનિયાને અલવિદા કહ્યુ
'હજાર ચૌરાસી કી મા'ના લેખિતા મહાશ્વેતા દેવીનું 90 વર્ષની ઉંમરે નિધન થયું હતુ. 23 જુલાઈ 2016માં મેજર હાર્ટ એટેકને કારણે તેમને કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ એક લેખિકા હોવાની સાથે સાથે દેશના મોટા સમાજ સેવિકા પણ હતા.