જામનગર શહેરની સ્થાપનાને આજે ૪૮૦ વર્ષ પૂર્ણ થયા છે. કચ્છના જામ રાજવીઓએ હાલાર પ્રાંતની રચના કરી. જામનગર વસાવી રાષ્ટ્રને અનેક સપૂતો આપ્યા. આજે રાજ્ય મંત્રી સહિતના રાજપૂત સમાજે સ્થાપના સમયે નિર્માણ કરેલ ખાંભીનું પૂજન કરી. રાજવીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી. સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.
નવા નગર તરીકે ઓળખાતું જામનગર
નોંધનીય છે કે, સદીઓ પૂર્વે કચ્છના જામ રાજવીઓએ હાલના શહેરના દરબારગઢ ખાતે ખાંભી ખોડી શહેરનું નિર્માણ કર્યું હતું. જે તે સમયે નવા નગર તરીકે ઓળખાતા શહેરને સદીઓના વ્હાણા વાહી ગયા. સ્થાપનાથી માંડી અત્યાર સુધી શહેરના સ્થાપના દિવસની ઉજવણી કરાતી આવી છે.
દર વર્ષે સ્થાપના દિવસની કરાય છે ઉજવણી
ઉલ્લેખનીય છે કે, આઝાદી બાદ રજવાડાનું રાષ્ટ્રમાં વિલીનીકરણ થયું. પરંતુ રાજવીઓએ કરેલા હાલાર પ્રાંત અને શહેરનું નિર્માણ કરી. યશસ્વી ઈતિહાસ આપવા બદલ શહેરીજનો દર વર્ષે સ્થાપના દિવસની ઉજવણી કરે છે. આજે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિત રાજવી પરિવારના સદસ્યોએ ખાંભી પૂજન અને રાજવીઓની પ્રતિમાઓને ફૂલહાર પહેરાવી ઉજવણી કરી હતી.
ઇતિહાસ
આઝાદી પહેલા નવાનગર તરીકે ઓળખાતું જામનગર સૌરાષ્ટ્રનું એક રજવાડું હતું. જામનગરની સ્થાપના જામ રાવળના હસ્તે ઇ.સ. ૧૫૪૦માં રંગમતિ અને નાગમતિ નદીઓના કિનારે કરવામાં આવેલ. આ રાજવી કચ્છના કિનારેથી નાનું રણ ઓળંગીને સેના સાથે આવી અહીંના જેઠવા, દેદા, ચાવડા અને વાઢેર શાખાના રાજપુતોને હરાવીને નવાનગર રાજ્યની સ્થાપના કરી હતી. સમયાંતરે નવાનગર એ જામનગર તરીકે ઓળખાવા લાગ્યું.