સમ્પૂર્ણ સિંહ કાલરા ઉર્ફે ગુલઝાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક અણમોલ તારલા છે. તેમના માટે શબ્દોમાં લખવું મુશ્કેલ છે. તે એકમાત્ર એવા ગીતકાર છે જેમને શ્રેષ્ઠ ગીત માટે ઓસ્કાર ઍવોર્ડ મળી ચૂક્યો છે. ગીતકાર, કવિ, વાર્તાકાર, નાટકકારની સાથે તે ડિરેક્ટર પણ છે. 2004માં ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરી ચૂકી છે. આજે ગુલઝાર સાહેબનો બર્થ ડે છે.
ગુલઝાર સાહેબનો જન્મદિવસ
84 વર્ષના થયા ગુલઝાર સાહેબ
અખંડ ભારતમાં ગુલઝાર સાહેબ
તેમનો જન્મ ઝેલમના કિનારે દિના ગામમાં 18 ઓગસ્ટ 1936ના દિવસે થયો હતો. ગુલઝાર તેમના પિતાની બીજી પત્નીની એકમાત્ર સંતાન છે. ગુલઝારે ભારત-પાકિસ્તાન વિભાજનને પોતાની આંખે જોયુ છે. તે નાના હતા ત્યારે તેમની માતાનું નિધન થઇ ગયુ હતું.
ગુલઝાર એક એવુ નામ છે જેમને કોઇ પરિચયની જરૂર નથી. ગુલઝારે પ્રેમ, તડપ, દગો દરેક ઇમોશન પર લખ્યુ છે. 9 ભાઇ બહેનમાં ગુલઝાર ચોથા નંબરે હતા. ગુલઝારના પિતા અને મોટા ભાઇએ તેમને ભણાવવાથી સાફ ઇન્કાર કરી દીધો હતો. ત્યારે ગુલઝારે પેટ્રોલ પંપ પર કામ કરીને પોતાના ભણતરનો ખર્ચો ઉઠાવ્યો હતો.
એસ.ડી.બર્મનની ફિલ્મ બંધીનીમાં ગીત લખીને ગુલઝારે હિન્દી સિનેમામાં લિરીસિસ્ટ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. બાદમાં 1968માં ગુલઝારે ફિલ્મ આશીર્વાદના ડાયલોગ લખ્યા. બાદમાં તેમનુ નામ એટલુ મોટુ થઇ ગયુ કે ગુલઝાર કોઇ પરિચયના મોહતાજ ન રહ્યાં.
2007માં ગુલઝારને સ્લમડોગ મિલીયોનેર માટે ઓસ્કાર ઍવોર્ડ મળ્યો સાથે સાથે તેમને ગ્રેમીથી સન્માનિત કરવામા આવ્યા.