બોલિવૂડના બાદશાહ એટલે કે અમિતાભ બચ્ચનનો આજે 79મો જન્મદિવસ છે. તેમનો જન્મ 11 ઓક્ટોબર 1942એ અલ્હાબાદમાં થયો હતો. તો ખાસ દિવસ નિમિત્તે અમે તમને બિગ બીની ફિટનેસના કેટલાક રાઝ જણાવીશું.
આજે બિગ બી સેલિબ્રેટ કરી રહ્યાં છે પોતાનો 79મો જન્મદિવસ
તેમનો જન્મ 11 ઓક્ટોબર 1942એ અલ્હાબાદમાં થયો હતો
પોતાની ફિટનેસનું ખૂબ જ ધ્યાન રાખે છે બિગ બી
ઉંમરના આ તબક્કે પણ તેઓ એકદમ એનર્જેટિકઅને ફિટ દેખાય છે. એમ કહી શકાય કે અમિતાભની ઉંમર તેમની ફિટનેસ પર ફિટ નથી બેસતી. આ ઉંમરે લોકો સામાન્ય રીતે આરામ કરવાનું વિચારે છે, પરંતુ અમિતાભ બચ્ચન હજુ પણ દિવસમાં 16 કલાક કામ કરે છે. તેઓ યુવાનો અને વૃદ્ધો માટે પ્રેરણા સ્ત્રોત છે. આજે ફિલ્મો સિવાય, તેંની પાસે જાહેરાતો પણ છે અને તે દરેક નાના અને મોટા દિગ્દર્શક સાથે સંપૂર્ણ સમર્પણ અને શિસ્તતા સાથે કામ કરે છે. જ્યારે અમિતાભ બચ્ચનની ફિટનેસ અને સ્વાસ્થ્યની વાત આવે છે, ત્યારે દરેકના મનમાં સવાલ આવે છે કે તેમની ફિટનેસનું રહસ્ય શું છે. તો ચાલો આજે તમને જણાવી દઈએ.
T 4057 - .. walking into the 80th ..
जब साठा (60 ) तब पाठा
जब अस्सी (80) तब लस्सी !!! 🤣🤣🤣
સેલિબ્રિટી ડેલી રૂટીન મુજબ, અમિતાભ બચ્ચન મીઠાઈઓથી દૂર રહે છે. સાથે જ તેઓ ચોકલેટ અને પેસ્ટ્રીથી પણ દૂર રહે છે. હકીકતમાં આ વસ્તુઓમાં વધુ પ્રમાણમાં સેચુરેટેડ ફેટ અને કેલરી હોય છે જે સ્વાસ્થ્યને ભયંકર નુકસાન પહોંચાડે છે.
ધૂમ્રપાન અને આલ્કોહોલથી દૂર રહેવું
ઘણી ફિલ્મોમાં અમિતાભ બચ્ચન સિગરેટ પીતા જોવા મળે છે પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ ધૂમ્રપાન કરતા નથી. હકીકતમાં ધૂમ્રપાન એક એવી આદત છે જે શરીરના દરેક અંગને અસર કરે છે. એટલું જ નહીં, તેઓ વાસ્તવિક જીવનમાં દારૂથી પણ દૂર રહે છે.
રેગ્યુલર એક્સરસાઈઝ
અમિતાભ બચ્ચન રોજ વર્કઆઉટ કરે છે. તે નિયમિત મોર્નિંગ વોક કરે છે અને યોગ પણ તેમના રોજિંદા જીવનનો એક ભાગ છે. નિયમિત વર્કઆઉટ તેમની ફિટનેસનું સૌથી મોટું કારણ છે. જ્યારે માનસિક શાંતિ અને સુખી વ્યક્તિત્વનું કારણ દૈનિક ધ્યાન અને યોગ કહી શકાય.
ચા કોફીથી દૂર રહે છે
આલ્કોહોલ અને સિગારેટ સિવાય અમિતાભ બચ્ચનને ચા અને કોફી પીવાનું બિલકુલ પસંદ નથી. જોકે તેઓ શરૂઆતના વર્ષોમાં કોફીના શોખીન હતા, પરંતુ થોડાં દિવસો પહેલાં તેમણે તેને પણ છોડી દીધી. હકીકતમાં કોફીમાં મોટી માત્રામાં કેફીન જોવા મળે છે, જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
નોનવેજ નથી ખાતા
અમિતાભ બચ્ચન પહેલાં નોનવેજ ખાતા હતા પરંતુ તેમણે તેમની એક પોસ્ટમાં કહ્યું હતું કે તેઓ અને તેમની પત્ની જયા બંને શુદ્ધ શાકાહારી બની ગયા છે. આજે તેઓ ઈન્ડસ્ટ્રીમાં સૌથી ફિટેસ્ટ વેજિટેરિયન્સમાંથી એક છે.
આવો છે તેમનો ડાયટ પ્લાન
તે ના દૈનિક આહાર વિશે વાત કરીએ તો તેઓ દરરોજ તુલસીના પાન, પ્રોબાયોટિક ખોરાક, પ્રોટીન ડ્રિંક લે છે. આ સિવાય નાળિયેર પાણી, આમળાનો રસ, કેળા, ખજૂર, એપ્પલ નાસ્તામાં લે આવે છે. ઘણું બધું પાણી પણ તેમની ફિટનેસ અને સ્વસ્થ જીવનનું રહસ્ય છે.