ચીને કશ્મીર મુદ્દે ભારત સાથે શાંતિ વાર્તા માટે પાકિસ્તાનના પ્રયાસના વખાણ કર્યા છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ચીનની મુલાકાત લીધી.
ચીનમાં બીજીંગ અને ઈસ્લામાબાદની મુલાકાત દરમિયાન એક સંયુક્ત નિવેદન જાહેર કર્યુ. આ સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે ચીન પારસ્પરિક સમ્માન અને સમાનતાના આધારે સંવાદ સહયોગ અને વાતચીત દ્વારા શાંતિ માટે પાકિસ્તાનની ઈચ્છાના વખાણ કરે છે.
પાકિસ્તાન-ભારત વચ્ચે સંબંધ સુધરવા માટે અને પાકિસ્તાનની પહેલનું ચીન સમર્થન કરે છે. ચીને કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કશ્મીર વિવાદ પર તેમનું વલણ તટસ્થ છે.
પરંતુ તેમના અધિકારીઓએ સંકેત આપ્યા કે બીજીંગ ભારત-પાકિસ્તાન વચ્ચે શાંતિ માટે મધ્યસ્થી બનવાનો પ્રયાસ કરી શકે છે. બીજી તરફ ભારત પણ ચીનની કોઈ દખલગીરી ઈચ્છતુ નથી.