સુખી અને શ્રેષ્ઠ જીવન માટે શાસ્ત્રોમાં કેટલાક નિયમ અને પરંપરા છે. આ નિયમો અને પરંપરાનું પાલન કરવા પર અક્ષય પુણ્યની સાથે ધન પ્રાપ્તિ પણ થાય છે. આ 6 કામ કરી લેવાથી તમારા જીવનની દરેક પરેશાની અને મુશ્કેલીઓ દૂર થઇ જશે.
આ 6 કામ કરવાથી થઇ જશો સુખી
ગાયની સેવા કરવાથી ભગવાન થશે પ્રસન્ન
શ્રીકૃષ્ણ વરસાવશે તમારા પર કૃપા
ભગવાન વિષ્ણુની પૂજા
આ 6 કામમાં પહેલું કામ છે ભગવાન વિષ્ણુની પૂજા છે. ભગવાન વિષ્ણુ પરમાત્માના ત્રણ સ્વરૂપમાંથી જગતના પાલનહાર માનવામાં આવ્યા છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધુ જ પ્રાપ્ત થાય છે.
એકાદશીનું વ્રત
આ વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. પંચાંગ અનુસાર દરેક મહિનામાં 2 એકાદશી આવે છે. એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં આવે છે. બંને પક્ષમાં વ્રત કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે.
તુલસીના છોડની દેખરેખ રાખવી
ઘરમાં તુલસી હોવી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે તે વાત તો વિજ્ઞાને પણ માની લીધી છે. તુલસીની સુગંધની વાતાવરણથી સુક્ષ્મ કિટાણુ નષ્ટ થાય છે. તુલસીના છોડની દેખરેખ રાખવાથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત વરસે છે.
શ્રીમદ ભગવત ગીતાના પાઠ
માન્યતા છે કે શ્રીમદ ભગવદ ગીતાના પાઠ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. જે લોકો ગીતાનો પાઠ રેગ્યુલર કરે છે તેમના પર ભગવાન પ્રસન્ન થાય છે.
બ્રાહ્મણોનું સન્માન કરવું
એક જુની માન્યતા અનુસાર બ્રાહ્મણ આદરણીય માનવામાં આવે છે. જે લોકો અપમાન કરે છે તે જીવનમાં દુઃખ પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણ જ ભગવાન છે . ભક્ત અને ભગવાન વચ્ચેની કડી બ્રાહ્મણ છે. બ્રાહ્મણો વ્યવસ્થિત રીતે પૂજા-વિધી કરાવે છે. શાસ્ત્રોનું જ્ઞાન આપે છે માટે સૌએ બ્રાહ્મણોને આપવું જોઇએ.
ગાયની સેવા કરવી
એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે તે ગાયનું એક અનેરુ મહત્વ છે. જે ઘરમાં ગાય હોય છે. ગાય જે ઘરમાં હોય છે તે ઘરમાં બધા જ દેવી દેવતાનો વાસ હોય છે. માટે ગાયની સેવા કરવાથી તમારા જીવનમાંથી દુઃખ થઇ જશે દૂર.