કરતારપુર કોરિડોરની મીઠી વાતો બાદ પાકની નાપાક હરકત સામે આવી છે. પાકિસ્તાન તરફથી બોર્ડર પર સિઝફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
જેમાં બે ભારતીય જવાનો શહીદ થયા છે. સવારે કુપવાડા જિલ્લાના માછિલ વિસ્તરમાં એક જવાન શહીદ થયો હતો જ્યારે સાજે રાજૌરી વિસ્તારમાં પણ એક કેપ્ટન શહીદ થયા હતા.
રાજૌરીમાં પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં બે જવાનો ઘાયલ થયા હતા ઘાયલ માન્સા રામ સારવાર હેઠળ છે. જ્યારે પ્રસેનજીત બિશ્વાસનું સારવાર દરમિયાન અવસાન થયું છે.