દેશમાં એક એવું મંદિર છે જ્યાં હનુમાન દાદાને ભગવાનના રૂપમાં પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ મંદિરમાં લાખો લોકોની સાથે આસ્થા જોડાયેલી છે. શ્રદ્ઘાળુઓનુ માનવું છે કે ડો. હનુમાન પાસે બધા પ્રકારના રોગોના રામબાણ ઇલાજ છે.
આ મંદિર સાથે જોડાયેલી માન્યતા છે કે એક સાધુ શિવકુમાર દાસને કેન્સર હતુ તેમને હનુમાનજીએ ડોક્ટરને વેશમાં દર્શન આપ્યા જે પછી સાધુ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઇ ગયા હતા.
માનવામાં આવે છે કે રોગો માટે હનુમાન દાદાની ભભૂતિ ઉપયોગી છે. વિશેષ રૂપથી ગુંમડા અલ્સર અને કેન્સર જેવી બિમારીઓ પણ મંદિરની પાંચ પરિક્રમા કરવા પર ઠીક થઇ જાય છે.
આ મંદિર મધ્ય પ્રદેશના ગ્વાલિયરથી લગભગ 70 કિમી દૂર ઉત્તર પ્રદેશની સીમા પાસે આવેલા જિલ્લા દંદરૌઆ સરકાર ધામમાં આવેલું છે. અહીંયાં ડોક્ટર હનુમાનજી પાસે સારા સ્વાસ્થ્યની ઉમ્મીદ લઈને લાખો શ્રદ્ઘાળુઓ આવે છે.
300 વર્ષ પહેલા હનુમાનજીની આ મૂર્તિ લિમડાના ઝાડની નીચે છૂપાયેલી હતી.ઝાડના કાપવા પર ગોપી વેશધારી હનુમાનજીની આ પ્રાચિન મૂર્તિ મળી આવી ત્યારથી જ મૂર્તિની પૂજા-અર્ચના કરવામાં આવે છે.
અહીંયા હનુમાનજીની જે મૂર્તિ છે તે નૃત્યની મુદ્રામાં છે. આ દેશની એકમાત્ર એવી મૃતિ છે જેમાં હનુમાનજી નૃત્ય કરતા બતાવવામાં આવ્યા છે.