મંગળવાર અને શનિવાર આ બંને દિવસ હનુમાનજીને સમર્પિત છે. આ દિવસોમાં હનુમાનજીની પૂજા અર્ચના કરીને મેળવો અતુલ કૃપા
શનિવાર-મંગળવાર હનુમાનજીને સમર્પિત દિવસ
મંગળવારે હનુમાનજીની મેળવો વિશેષ કૃપા
આ 3 રાશિના જાતકો પર હનુમાનજી મહેરબાન
8મી ઓગસ્ટ 2022થી નવું સપ્તાહ શરૂ થયું છે. આ અઠવાડિયે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ બદલાવાને કારણે ઘણી રાશિઓના જીવનમાં ખુશીઓ આવી શકે છે. જ્યારે ઘણી રાશિના જાતકોને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ત્યારે વાત કરીએ 9 ઑગષ્ટની તો આ દિવસે મંગળવાર છે. શાસ્ત્રો અનુસાર મંગળવારનો દિવસ હનુમાનજીને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાનો નિયમ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ, કુંભ અને સિંહ રાશિ હનુમાનજીને ખૂબ જ પ્રિય છે. પવનના પુત્ર હનુમાનજીની આ રાશિઓ પર હંમેશા કૃપા રહે છે. જ્યોતિષના મતે મેષ, સિંહ અને કુંભ રાશિના લોકો માટે આ મંગળવાર ખાસ છે. આ દિવસે આ ત્રણ રાશિઓ પર હનુમાનજીની વિશેષ કૃપા રહેશે.
મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે. મેષ રાશિના લોકો પર બજરંગબલીની કૃપા હોવાથી તેમને આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી.
કુંભ રાશિ
હનુમાનજીની વિશેષ કૃપાથી કુંભ રાશિના લોકોને તેમના કાર્યોમાં ઝડપથી સફળતા મળે છે. કુંભ રાશિના લોકો માટે પૈસાની કમી રહેતી નથી.
સિંહ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાનજીની વિશેષ કૃપાના કારણે સિંહ રાશિના લોકોની પરેશાનીઓ દૂર થાય છે. આર્થિક સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવે. નોકરી-ધંધામાં પ્રગતિ થાય.