હિંદુ પંચાગ પ્રમાણે આજે કેસરી નંદન હનુમાનનો જમ્નોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ વાત એ છે કે, આજે હનુમાન જયંતી બે ખાસ નક્ષત્રોમાં થઇ રહી છે. ર્ષો બાદ બનેલી રહેલા જ્યોતિષ નક્ષત્રને ભક્તો માટે શુભ માનવામાં આવે છે. જો તમે આર્થિક તંગીથી છૂટકારો મેળવવા માંગો છો તો અથવા તો કોઇ મનોકામના પૂરી કરવા ઇચ્છો છો તો આજના દિવસે શુભ મૂહુર્તમાં આ રીતે સંકતમોચન હનુમાનજીની પૂજા...
આજે હનુમાન જયંતી પર ખાસ જ્યોતિષ નક્ષત્ર યોગ બની રહ્યો છે. પહેલા ચિત્રા અને બીજો ગજકેસરી યોગ. પંચાંગ અનુસાર, 18 એપ્રિલની રાત્રે 9.23 કલાકે ચિત્રા નક્ષત્રનો પ્રારંભ થયો, આ નક્ષત્ર આજના દિવસે એટલે કે 19 એપ્રિલના સાંજે 7.19 કલાક સુધી રહેશે. જ્યારે બીજું નક્ષત્ર ગજકેસરી સૂર્યોદય થતાની સાથે જ શરૂ થઇ જશે.
આ રીતે કરો હનુમાજીની પૂજા:
હનુમાનજીની પૂજા અભિજિચત મુહૂર્તમાં કરો. ઉત્તર-પૂર્વ દિશામાં લાલ કપડું રાખો. હનુમાનજીની સાથે ભગવાન શ્રી રામની મૂર્તિની પણ સ્થાપના કરો. હનુમાનજીને લાલ અને શ્રી રામને પીળા ફૂલ અર્પણ કરો. ભગવાનને લાડુનો ભોગ ધરાવો. પહેલા ભગવાન શ્રી રામના મંત્ર 'રામ રામાય નમઃ’નો જાપ કરો. બાદમાં હનુમાનજીના મંત્ર ‘ॐ હં હનુમતે નમઃ’નો જાપ કરો.
દેવામાંથી મુક્તિ મેળવવા માટે કરો આ ઉપાય:
હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીપ પ્રગટાવો. ભગવાનને લાડુનો ભોગ ધરાવો. આ બાદ હનુમાન ચાલીસાનો 11 વાર પાઠ કરો. શક્ય હોય તો ગળી વસ્તુઓનું દાન કરો.
આ રીતે થશે મનોકામના પૂર્ણ:
હનુમાન જયંતી પર બનનારા ચિત્રા અને ગજકેસરી નક્ષત્રને શુભ ગણવામાં આવે છે. આ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યકિતને સારું ફળ મળે છે. આ સિવાય સુંદરકાંડનો પાઠ કરવાથી પણ ફાયદો થશે.