19 એપ્રિલે ચિત્રા નક્ષત્રમાં હનુમાન જયંતિ છે. આ દિવસે ઘરમાં સુંદરકાંડ કરાવવાથી સમૃદ્ધિ આવશે.
હનુમાનજીના જન્મોત્સવને હનુમાન જયંતિના રૂપમાં ઊજવવામાં આવે છે. આ વર્ષે 19 એપ્રિલના રોજ આ તહેવાર ઊજવાશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાન જયંતિ પર બે સંયોગ બની રહ્યા છે. એમાં પહેલો છે ગજકેસરી અને બીજો છે ચિત્રા નક્ષત્ર. આ દરમિયાન હનુમાનજીની આરાધના કરવા અને કેટલાક ખાસ ઉપાય કરવાથી બજરંગબીલીની કૃપા મેળવી શકાય છે.
આ વર્ષે હનુમાન જયંતિ ચિત્રા નક્ષત્રમાં આવી રહી છે. એને ખૂબ જ શુભ યોગ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને લાલ વસ્ત્ર ઓઢાડવાથી ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.
પંચાંગ અનુસાર ચિત્રા નક્ષત્રની શરૂઆત 18 એપ્રિલ રાતે 9 વાગ્યે 23 મીનિટ પર થશે. જે 19 એપ્રિલની સાંજે 7 વાગ્યેને 19 મીનિટ સુધી રહેશે.
હનુમાન જયંતિ પર ગજકેસરી યોગ પણ બની રહ્યો છે. એ દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી વ્યક્તિ પર હનુમાનજીની કૃપા રહેશે. એનાથી તરક્કીના નવા રસ્તા પણ બનશે.
જે લોકો વેપારમાં સફળતા ઇચ્છે છે એમને હનુમાન જયંતિ પર બજરંગબલીને સિંદૂર રંગના ચોલા ચઢાવવા જોઇએ, એનાથી હનુમાનજી પ્રસન્ન થશે.
જો તમારી પાસે પૈસા ટકતા નથી અને નજર લાગતી રહે છે તો હનુમાન જયંતિના દિવસે ઘરની છત પર લાલ રંગની ધ્વજા ફરકાવો.
સંકટોથી મુક્તિ મેળવવા માટે બજરંગ બાણ, હનુમાન ચાલીસા અને હનુમાન કવચનો પાઠ કરો.
હનુમાન જયંતિના દિવસે બજરંગબલીને બૂંદીના લાડુ અને પીળા રંગની માળા ચઢાવવાથી તમારો દિવસ સારો જશે.