ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે પવનપુત્ર હનુમાનનો જન્મ થયો હતો જેણે આપણે હનુમાન જયંતી તરીકે ઉજવવીએ છીએ. હનુમાન માતંગ ઋષિના શિષ્ય હોય તેવું માનવામાં આવે છે. સૂર્ય દેવ અને નારદજી પાસેથી પણ તેમણે કેટલીય ગૂઢ વિદ્યા સીખી હતી. માન્યતના અનુસાર મહાવીર હનુમાનને મહાકાળ શિવના 11માં રૂદ્ર અવતાર માનવામાં આવે છે.
આ વર્ષે હનુમાન જયંતીના દિવસે ઉત્તર ફાલ્ગુની નક્ષત્રનો પ્રભાવ રહેશે જેના સ્વામી સૂર્ય નારાયણ છે. 18 માર્ચથી હિન્દુ નવા વર્ષનો પ્રારંભ થયો છે જેના રાજા સૂર્ય અને મંત્રી એમના પુત્ર શનિ છે. 2018માં શનિવારે હનુમાન જયંતી આવવાથી આના પ્રભાવમાં વૃદ્ધિ થઇ છે. વર્તમાન સમયમાં ધન રાશિમાં શનિ અને મકર રાશિમાં મંગળ વાસ કરી રહ્યા છે. હનુમાન જયંતીના શુભ અવસર પર શનિ-મંગળનો આવો યોગ 30 વર્ષ બાદ બન્યો છે. આ યોગમાં કરેલા ઉપાયો તરત પોતાનો પ્રભાવ બતાવે છે અને જાતકને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.
આ મંત્રોનો કરો જાપ:
ભયના નાશ માટે હનુમાનજીનો મંત્ર “ॐ હં હનુમંતે નમઃ” તમામ સમસ્યાઓથી મુક્તિ માટે “ॐ હં હનુમતે રુદ્રાત્મકાય હું ફટ” ઉપરાંત મનોકામના પૂરી થાય તે માટે “મહાબલાય વીરાય ચિરંજિવીન ઉદ્દતે । હારિણે વજ્ર દેહાય ચોલંગ્ધિતમહાવ્યયે ।।” શત્રુ અને રોગ પર વિજય મેળવવા માટે “ॐ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા” અને સંકટ દૂર કરવા માટે પણ “ॐ નમો હનુમતે રુદ્રાવતારાય સર્વશત્રુસંહારણાય સર્વરોગ હરાય સર્વવશીકરણાય રામદૂતાય સ્વાહા” મંત્રનો જાપ કરવો.
શું છે હનુમાન જયંતી 2018નું મુહૂર્ત:
જ્યોતિષના જાણકાર સુજીત મહારાજ જણાવે છે કે 30 માર્ચના સંધ્યાકાળે 07:35 વાગ્યેથી 31 માર્ચની સાંજે 06:06 મિનિટ સુધી હનુમાન જયંતી રહેશે. ઉદય તિથિ 31મીના રોજ હોવાથી પૂર્ણિમા પણ 13મીએ જ મનાવવામાં આવશે અને એ જ દિવસે પૂરી રાત અને દિવસ હનુમાન જયંતી મનાવવામાં આવે છે. ચૈત્ર પૂર્ણિમાની રાત્રિ સમયે હનુમાન જયંતી મનાવવાની જોગવાઇ હોવાથી 31ની રાત્રીએ પૂજાનું વિશેષ ફળ મળશે.