મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત આવેલા મંદિરમાં હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું.
અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા હનુમાનજીના શરણે
દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલા મંદિરમાં હનુમાન ચાલીસાનું પઠન કર્યું
પતિ સાથે આવેલા સાંસદે મંદિરમાં આરતી પણ ઉતારી
મહારાષ્ટ્રના અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણાએ દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત આવેલા મંદિરમાં હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. તેમણે અહીં હનુમાન ચાલીસા પાઠ બાદ આરતી પણ કરી હતી. આ દરમિયાન તેમની સાથે તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા પણ હાજર રહ્યા હતા.
— Navneet Ravi Rana (@navneetravirana) May 13, 2022
આ અગાઉ મીડિયા સાથે વાત કરતા નવનીત રાણાએ કહ્યું હતું કે, રાણા દંપત્તિ કોઈના રિમોટ કંટ્રોલથી નથી ચાલતા. ભાજપના પણ નહીં. આજે અમે મહારાષ્ટ્રના લોકોને ઉદ્ધવ ઠાકરેથી મુક્તિ અપાવવા માટે હનુમાન ચાલીસાનું પઠન કરવા જઈ રહ્યા છીએ. મેં જેલમાં દરરોજ 101 વાર હનુમાન ચાલીસાનું પઠન કર્યું. હું નથી ઈચ્છતી કે કોઈ નિર્દોષ જેલમાં જાય.
#WATCH | Amravati MP Navneet Rana recites Hanuman Chalisa at Hanuman Temple, CP in Delhi. Her husband & Maharashtra MLA Ravi Rana also present with her.
They were arrested in April and later released on bail over the row to recite Hanuman Chalisa outside Maharashtra CM's house. pic.twitter.com/9yQZHkqlMt
આપને જણાવી દઈએ કે, મુંબઈથી હનુમાન ચાલીસા પાઠ પર શરૂ થયેલી રાજનીતિ હવે દિલ્હીમાં આવી છે. નવનીત રાણા પોતાના પતિ સાથે અહીં આવી હતી અને ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ જોરશોરથી બોલ્યા હતા. આ અગાઉ રાણા દંપત્તિને 23 એપ્રિલના રોજ આઈપીસીની કલમ 153 એ અને 124 એ અંતર્ગત ધરપકડ કરવામાં આવ્યા હતા. રાણા દંપત્તિએ જાહેરાત કરી હતી કે, તે બાંદ્વામાં સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘર બહાર હનુમાન ચાલીસાનું પઠન કરશે, જો આ કામ કરે તે પહેલા તેમની ધરપકડ કરવામાં આવી હતી.