રાષ્ટ્રીય ડેમોક્રેટિક પાર્ટી (RLP) ના સુપ્રીમો હનુમાન બેનીવાલે કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે બે ટ્વીટ્સ કર્યા છે. તેમણે પોતાની પહેલી ટ્વિટમાં લખ્યું છે કે, જો કેન્દ્ર સરકાર ખેડૂતો વિશે સકારાત્મક નિર્ણય નહીં લે તો તેમની પાર્ટીએ એનડીએનો ઘટક પક્ષ હોવાનો વિચાર કરવો પડશે.
રાષ્ટ્રીય ડેમોક્રેટિક પાર્ટીના વડાએ ટ્વીટ કરીને સરકાર સાધ્યું નિશાન
કૃષિ કાયદાને લઇને ખેડૂતોના વિરોધનો ઉકેલ લાવવાની કરી વાત
આડકતરી રીતે NDA ને આપેલા ટેકાને લઇને પણ કરી વાત
આ સાથે જ તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું, 'એનડીએ એક ઘટક પક્ષ છે પરંતુ આરએલપીની તાકાત ખેડૂત અને જવાનો છે. તેથી, જો આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં નહીં આવે તો મારે ખેડુતોના હિતમાં એનડીએની સાથી બાકી રહેવાના મુદ્દે ફરીથી વિચાર કરવો પડશે!
અમિત શાહને ટેગ કરીને કરી અપીલ
ઉલ્લેખનીય છે કે, તરત જ પોતાના બીજા ટ્વીટમાં તેમણે દેશના ગૃહમંત્રી અમિત શાહને ટેગ પણ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે ખેડૂત આંદોલનની ભાવનાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક નવા કૃષિ કાયદા પરત ખેંચવો જોઈએ. સ્વામિનાથન આયોગની સંપૂર્ણ ભલામણોનો અમલ કરો અને ખેડૂતોને તેમની ઇચ્છા મુજબ યોગ્ય જગ્યા આપવી જોઈએ. તેમણે આ અંગે ટિ્વટ કર્યું હતું કે, 'શ્રી @AmitShah,જી દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનની લાગણીને ધ્યાનમાં રાખીને, તાજેતરમાં પસાર થયેલા ખેતીને લગતા 3 ખરડાઓ તાત્કાલિક પરત ખેંચી લેવા જોઈએ અને સ્વામિનાથન આયોગ અને ખેડૂતોની આખી ભલામણોનો અમલ કરવો જોઇએ.
श्री @AmitShah जी,देश मे चल रहे किसान आंदोलन की भावना को देखते हुए हाल ही में कृषि से सम्बंधित लाये गए 3 बिलों को तत्काल वापिस लिया जाए व स्वामीनाथन आयोग की सम्पूर्ण सिफारिशों को लागू करें व किसानों को दिल्ली में त्वरित वार्ता के लिए उनकी मंशा के अनुरूप उचित स्थान दिया जाए !
આપને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકાર દ્વારા નવા કૃષિ કાયદા વિરૂદ્ધ હરિયાણા-પંજાબના ખેડૂતો સતત આંદોલન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર સાથે વાતચીત માટે દિલ્હી ચલો અભિયાન હેઠળ તેઓ છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીની બોર્ડર પર એકજૂટ થયાં છે. દિલ્હી પોલીસ કેન્દ્રના નિર્દેશ પર આ બોર્ડર પર કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે અને કોઇપણ આંદોલનકારી ખેડૂતને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી નથી.
દિલ્હી સરકારે ખેડૂતોને ટેકો જાહેર કર્યો
આ વચ્ચે દિલ્હી સરકારે જાહેરાત કરી હતી કે અમે ખેડૂતોની સાથે છીએ. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાહુલ ચઢ્ઢાએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, મુખ્યમંત્રીનો આદેશ છે કે, તેઓ ખેડૂતો માટે સેવાદાર બનીને પાર્ટી કામ કરશે. નોંધનીય છે કે, આજે દિલ્હી સરકાર તરફથી ખેડૂતો માટે જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.