ભારતીય ટેસ્ટ ટીમની પ્લેઇંગ ઇલેવનમાં ચેતેશ્વર પૂજારાની જગ્યા ખતરામાં છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધની પહેલી મૅચમાં તેણે માત્ર 4 રન બનાવ્યા છે.
ચેતેશ્વર પૂજારાનું કરિયર ખતરામાં ?
હનુમા વિહારી પૂજારાનો ઓપ્શન
ઇંગ્લેન્ડ પ્રવાસ પૂજારા માટે છેલ્લી તક?
આવી પરિસ્થિતિમાં ચેતેશ્વર પૂજારા ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં ફીટ આવી રહ્યો નથી અને બીજા ખેલાડીઓ પૂજારાની જગ્યા લઇ શકે છે.
હનુમા વિહારી
હનુમા વિહારીનો રેકોર્ડ જોઇએ તો તેને પૂજારાની જગ્યાએ નંબર 3 માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. ટીમ ઇન્ડિયાનો આ પ્લેયર પ્લેઇંગ 11ની અંદર બહાર થતો રહે છે. 27 વર્ષના હનુમાએ 12 ટેસ્ટ મેચમાં 32.84ની ઔસતથી 624 રન બનાવ્યા છે.
ઇંજેક્શન લઇને રમ્યો હતો હનુમા
હનુમા વિહારીએ આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિડની ટેસ્ટ મેચમાં ઘાયલ હોવા છતાં ઓસ્ટ્રેલિયાઇ બૉલર્સને આઉટ કરી દીધા હતા. કાંગારૂ ટીમ મુકાબલો જીતવાની અણીએ હતી પરંતુ હનુમા દિવાલ બનીને ઉભો હતો.
હનુમાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેણે ઇન્જેક્શન લીધુ હતુ અને બાદમાં મેદાનમાં ઉતર્યો હતો. પગ પર પણ ટેપ બાંધી હતી અને મારા મનમાં એક જ વિચાર હતો કે મારે મારી ટીમ માટે ઉભા રહેવાનું છે.
એક પગ નથી તેવું લાગ્યુ હતુ
વિહારીએ કહ્યું કે, ટી બ્રેક દરમિયાન મેં ઇન્જેક્શન લીધુ હતુ અને બાદમાં મને દુઃખાવો તો નહોતો થતો પરંતુ તેવું લાગતુ હતુ કે જાણે મારો એક પગ જ નથી.
ટીમ ઇન્ડિયાના આ બેટ્સમેનના કરિયર પર પૂર્ણવિરામ
પુજારાના આ પ્રકારના પ્રદર્શન બાદ તેના કરિયર પર પૂર્ણવિરામ મુકાવાની શક્યતાઓ વધી ગઇ છે. કારણકે વિરોધી ટીમ પર હાવી થવા માટે ડિફેન્સીવ થવાની નહી પરંતુ રન બનાવવાની જરૂર છે પરંતુ પુજારાની બેટિંગમાં કોઇ દમ નથી. ટોપ ઓર્ડર ભારતની તાકાત છે જે ટેસ્ટ મેચમાં સતત ફ્લોપ થઇ રહ્યું છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના ફાઇનલમાં ચેતેશ્વર પૂજારાએ 36મા બોલ પર પોતાનું ખાતુ ખોલ્યુ હતુ. પુજારાના આ પ્રદર્શન બાદ તેના કરિયર પર પૂર્ણવિરામ લાગી શકે છે. વિરોધી ટીમ પર હાવી થવાની જગ્યાએ રન બનાવવાની જરૂર છે. પૂજારાની બેટિંગમાં ખાસ મજા રહી નહી અને તે સતત ફ્લોપ બેટિંગ જ કરી રહ્યો છે.
ઇંગ્લેન્ડ છેલ્લી તક
ચેતેશ્વર પૂજારાએ અત્યાર સુધી પોતાની ટેસ્ટ કરિયરમાં 18 શતક અને 29 અર્ધશતક માર્યા છે. પૂજારાએ 86 ટેસ્ટ મૅચમાં 46.31ની ઔસતથી 6252 રન બનાવ્યા છે.