મોબાઈલ બનાવનારી કંપનીઓ આવનારા વર્ષે માર્ચ સુધીમાં 50 હજાર લોકોને નોકરી આપી શકે છે. સરકાર આ સમયે પ્રોડક્શન લિંક્ડ ઈનસેંટિવ સ્કીમના આધારે દેશી અને વિદેશી કંપનીઓ ભારતમાં મેન્યુફેક્ટરિંગ યુનિટ લગાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે સ્કીમના આધારે મોબાઈલ કંપનીઓ લગભગ 50 હજાર લોકોને નોકરી આપી શકે છે. દેશભરમાં થયેલા લોકડાઉન બાદ મોબાઈલ કંપનીમાં કામ કરનારા અનેક કર્મચારીઓ બેરોજગાર બન્યા છે.
PLI Schemeનો આવો છે ખાસ પ્લાન
માર્ચ સુધીમાં 50 હજાર લોકોને મળી શકે છે નોકરી
PLI Scheme કઈ રીતે આપી શકે છે ફાયદો
PLI સ્કીમનો મળશે લાભ
ઈન્ડિયા સેલ્યલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશનના પ્રેસિડન્ટ પંકજ મોહિન્દ્રાના જણાવ્યા અનુસાર હવેથી આવનારા માર્ચ સુધી હેન્ડસેટ કંપનીઓ 50000 લોકોને ડાયરેક્ટ ઈમ્પલોયીઝની નિમણૂંક કરશે. લોકડાઉન શરૂ થયા બાદ ફેક્ટ્રીઓમાં કામ કરનારા અનેક કામદારો ઘરે પાછા ફર્યા હતા. હવે આ કામદારો મોટા શહેરોમાં પરત ફરી રહ્યા છે. આ સાથે પીએલઆઈ સ્કીમ પણ આવી છે.
આ કંપનીઓમાં મળી શકે છે નોકરીના અવસર
મળતી માહિતી અનુસાર જિક્શન ટેક્નોલોજીઝ, યૂટીએલ નિયોલિંક્સ, લાવા ઈન્ટરનેશનલ, ઓપ્ટીમસ ઈલેક્ટ્રોનિક્સ અને માઈક્રોમેક્સમાં ડિસેમ્બરના અંત સુધીમાં 20000 નોકરીઓ આવશે. ગયા વર્ષે મોબાઈલ કંપનીમાં ઘણી ઓછી નોકરીઓ બહાર પડી હતી. ગયા વર્ષે PLI સ્કીમ નહીં હોવાથી આ વર્ષે કારીગરોને ફાયદો મળી શકે છે.
7 લાખ લોકો કરી રહ્યા છે કામ
આ વર્ષે હેન્ડસેટ સેક્ટરમાં લગભગ 7 લાખ લોકો કામ કરી રહ્યા છે. આ સેક્ટરમાં ગયા વર્ષે લગભગ 15 હજાર લોકોની નિમણૂંક થઈ હતી. આ સિવાય સરકારે મોબાઈલ કંપનીઓના લગભગ 10 અરજીઓને મંજૂરી આપી છે. તેમાં સેમસંગ, ફોક્સકોનની હોન હઈ અને રાઈઝિંગ સ્ટાર અને વિસ્ટ્રોન અને પેગાટ્રોન જેવી પાંચ વિદેશી કંપનીઓ સામેલ છે. તેણે પીએલઆઈ સ્કીમના આધારે કુલ 41000 કરોડ રૂપિયાની ઈનસેંટિવનો ફાયદો મળશે. આ ફાયદો 5 વર્ષ સુધી મળશે.