ભારતના અંતરિક્ષ કાર્યક્રમ માટે આજનો દિવસ ઐતિહાસિક છે. આજે રાત્રે દોઢથી અઢી વાગ્યા દરમિયાન ચાંદના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2 ઉતરવાનું છે. આ ઐતિહાસિક ઘટના પહેલા ભારતીય અવકાશી સંશોધન સંગઠન (ISRO)ના વડા સિવાને કહ્યું હતું કે, અમે એવા સ્થળે ઉતરી રહ્યા છીએ જ્યાં પહેલા કોઇ વ્યક્તિ ઉતર્યું નથી.
PM મોદી ઇસરો કેન્દ્રમાં રહેશે હાજર
Indian Space Research Organisation (ISRO) Chairman K Sivan to ANI on #Chandrayaan2Landing: We're going to land at a place where no one else has gone before. We're confident about the soft landing. We're waiting for tonight. (File pic) pic.twitter.com/rfBLWnKgJp
અમે સોફ્ટ લેન્ડિગ માટે સજ્જ છીએ. માત્ર રાતની જ રાહ જોઇ રહ્યા છીએ. તમામ વ્યક્તિને આ સોફ્ટ લેન્ડિગને લઇને ભારે ઉત્સાહ છે, વિક્રમ લેન્ડરના ભાગીદાર બનાવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઇસરોના કેન્દ્રમાં હાજર રહેશે.
ISRO ના વડાનું નિવેદન
ચંદ્રયાન-2 નું વિક્રમ લેન્ડર જો સોફ્ટ લેન્ડિગમાં સફળ રહે છે તો રશિયા, અમેરિકા અને ચીન બાદ ભારત આ સફળતા પ્રાપ્ત કરનારું રાષ્ટ્ર બનશે.આ સાથે જ ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશન બની જશે.
Chandrayaan 2 નું મૂન લેન્ડિંગ જોઇ શકાશે Live
વાસ્તવમાં તાજેતરમાં જ આવેલા રિપોર્ટ પ્રમાણે ડિઝની ઇન્ડિયા, નેશનલ જિયોગ્રાફિક, હૉટસ્ટાર, સ્ટાર પ્લસ અને સ્ટાર ભારત ચેનલ આજે રાતે 6 સપ્ટેમ્બર 11.30 વાગ્યે વધારેમાં વધારે 100 દેશોમાં આ મિશનને ટેલીકાસ્ટ કરાશે. 7 સપ્ટેમ્બરે 1:30 am 2:30 am ની વચ્ચે ચંદ્રયાન 2 ચંદ્ર પર લેન્ડ કરશે. આ ઇવેન્ટને જોવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે ઇસરોમાં હાજર રહેશે. તો બીજી બાજુ ગત મહિને એક ઓનલાઇન સ્પેસ ક્વિઝ ક્લિયર કરનાર દેશભરની 60 થી વધારે શાળાના વિદ્યાર્થી પ્રધાનમંત્રીની સાથે આ ઐતિહાસિક ક્ષણને જોઇ શકશો.
ચંદ્રયાન-2ની શુ છે ખાસિયત
ચલો તમને જણાવીએ કે ચંદ્રયાન 2ની કેટલીક ખાસિયત. Chandrayaan 2 અંતરિક્ષ યાન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનાર પહેલું ભારતીય અભિયાન હશે. આ મિશન ભારતને અમેરિકા, રશિયા અને ચીન બાદ ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ કરાવનાર ચોથો દેશ બનશે. ચંદ્રયાન 2 નું વજન 3877 કિલો છે. 22 જુલાઇએ આ દેશની સૌથી તાકતવર GSLV માર્ક 3 રોકેટથી લૉન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રના દક્ષિણ ધૃવ પર આ લેન્ડરને ઉતારવામાં આવશે. લેન્ડરના ઊતરતા જ દક્ષિણ ધૃવ પર યાન ઉતારનાર ભારત પહેલો દેશ બની જશે.