ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે ઇંગ્લેન્ડમાં યોજાનારા વર્લ્ડ કપનું ફોર્મેટ પડકારરૂપ છે અને જો કોઇ નાની ટીમ મોટી ટીમને હરાવી દે છે તો પરેશાન થવું જોઇએ નહીં.
30 મે થી શરૂ થવા જઇ રહેલ 12મો આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયા 22 મે ના રોજ ઇંગ્લેન્ડ રવાના થશે. ઇંગ્લેન્ડ જતા પહેલા કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રીએ મંગળવારે પ્રેસ કોન્ફ્રેસ કરી.
વિરાટ કોહલીએ કહ્યું કે આ એના માટે અત્યાર સુધીનો સૌથી પડકારરૂપ વર્લ્ડ કપ હશે. કોહલીએ કહ્યું કે કોઇ પણ ટીમ ઉલટફેર કરી શકે છે. સાથે સાથે કોહલીએ આઇપીએલને પણ આ વર્લ્ડ કપ માટે સારી તૈયારી જણાવી.
એ દરમિયાન કોચ રવિ શાસ્ત્રીએ વર્લ્ડ કપનો વધારે પડતો દબાવ હોવાની ના પાડી છે. એને કહ્યું, 'જો અમે અમારી ક્ષમતાઓ પર રમીએ તો વર્લ્ડ કપ પાછો લાવી શકીએ છીએ. આ ખૂબ જ પ્રતિસ્પર્ધી ટૂર્નામેન્ટ છે અને અહીંયા બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન 2015ની અપેક્ષા હવે ખૂબ મજબૂત છે.' સાથે જ એને એવું પણ કહ્યું કે આ એક મુશ્કેલ ટૂર્નામેન્ટ છે, પરંતુ લીગ સ્ટેજમાં 9 મેચ રમવાથી ટીમને લય મેળવવાની તક મળશે.
આ ઉપરાંત કોચ-કેપ્ટન બંનેએ કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલને બોલિંગ યૂનિટના પીલર કહ્યા. ટીમના તમામ ખેલાડીઓ સારા ફોર્મમાં છે.
ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સમાં 30 મે થી 14 જુલાઇ સુધી વર્લ્ડ કપ મેચ રમાવાની છે. ભારતની ટીમને 25 મે એ ન્યૂઝીલેન્ડ અને 28 મે બાંગ્લાદેશની વિરુદ્ધ અભ્યાસ મેચ રમવાની છે. ટૂર્નામેન્ટમાં વર્લ્ડ કપમાં બે વખતની ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત 5 જૂને દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ સાઉથમ્પટનના રોજ બ્રાઉલ ગ્રાઉન્ડમાં કરશે.
બીસીસઆઇએ 17 એપ્રિલે વર્લ્ડ કપ માટે 15 સભ્યની ટીમની જાહેરાત કરી હતી. ત્યારબાદ કેટલાક અન્ય દેશોએ પોતાની ટીમની જાહેરાત કરી. એમાં પાકિસ્તાન, ઇંગ્લેન્ડ સહિત ઘણી ટીમોએ બાદમાં ફેરફાર પણ કર્યા. જો કે ભારતીય ટીમમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી.