આપણી હથેળી પર અનેક પ્રકારનાં શુભ નિશાન હોય છે આ નિશાનોમાં એક માછલી જેવા આકારનુ નિશાન પણ હોય છે જે ખૂબ ઓછા લોકોની હથેળીમાં મળી આવે છે.
જે વ્યક્તિની હથેળીમાં આ નિશાન હોય છે તે વ્યક્તિ ખૂબ જ સફળ થાય છે. તે વ્યક્તિ તેના જીવનમાં જે કાંઈ પણ ઇચ્છા રાખે તે હંમેશા પૂરી થાય છે.
જો તમારા હાથની કલાઇની બરાબર ઉપરના ભાગે રેખાઓ દ્વારા એક-બિજાને ટકરાતી માછલી જેવો આકાર બની રહ્યો છે તે હસ્તરેખા જ્યાતિષ શાસ્ત્રમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આવા નિશાન વાળા વ્યક્તિઓ ખૂબ માન-સમ્માન પ્રાપ્ત કરે છે. આ ઉપરાંત આવા લોકો ખૂબ જ નાજુક હોય છે અને તેઓ હંમેશા બીજા લોકોનું ધ્યાન રાખે છે.