સાબરકાંઠા જિલ્લામાં કાળઝાળ ઉનાળે પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. લોકો પાણી માટે કિલોમીટર દૂર સુધી રઝળપાટ કરવા મજબૂર બન્યા છે. પાણી ભરવામાં મહિલાઓનો આખો દિવસ ખર્ચાઈ જાય છે તો પાણી ભરવાની પળોજણમાં બાળકોનું ભણતર બગડી રહ્યું છે. આ વિસ્તારમાં નથી તો નર્મદાનું પાણી મળી રહ્યું કે નથી સ્થાનિક સ્થાનિક જળસોર્સથી પાણી મળી રહ્યું. લોકોને પાણી માટે નદીનાં પટમાં ઊંડા ખાડા કરવા પડી રહ્યાં છે તેમાં કલાકો બાદ પાણી ભરાય છે.
કાળઝાળ ઉનાળો તેની ચરમસીમા પર છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનાં આદિવાસી વિસ્તારોમાં પાણી હવે પ્રાણપ્રશ્ન બની ગયો છે. આ વિસ્તારમાં હેન્ડપંપ તો છે પરંતુ રિપેરિંગ કરવામાં દાખવાયેલી ઉપેક્ષાને કારણે તે શોભાના ગાંઠિયા સમાન બન્યાં છે. ઘર આંગણે હેન્ડપંપ છે છતાં લોકોને પાણી માટે કિલોમીટરો સુધી રઝળપાટ કરવી પડે છે. ક્યાંક નાગરિકો નદીમાં ખાડા કરીને પાણી મેળવવા મજબૂર બન્યાં છે તો ક્યાંક પાણી માટે ઝુંટાઝુંટ કરવી પડી રહી છે.
સાબરકાંઠા જિલ્લામાં કાળઝાળ ઉનાળે પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. લોકો પાણી માટે કિલોમીટર દૂર સુધી રઝળપાટ કરવા મજબૂર બન્યા છે. પાણી ભરવામાં મહિલાઓનો આખો દિવસ ખર્ચાઈ જાય છે તો પાણી ભરવાની પળોજણમાં બાળકોનું ભણતર બગડી રહ્યું છે. આ વિસ્તારમાં નથી તો નર્મદાનું પાણી મળી રહ્યું કે નથી સ્થાનિક સ્થાનિક જળસોર્સથી પાણી મળી રહ્યું. લોકોને પાણી માટે નદીનાં પટમાં ઊંડા ખાડા કરવા પડી રહ્યાં છે તેમાં કલાકો બાદ પાણી ભરાય છે. પછી આ પાણી પંપ દ્વારા ખેંચવામાં આવી છે જે મેળવવા માટે મહિલાઓમાં ઝુંટાઝુંટ થાય છે અને આ તરફ અનેક હેન્ડપંપ બંધ હાલતમાં છે. લોકોએ અનેક વખત તંત્રને રજૂઆત કરી છે પરંતુ તંત્રએ હંમેશા ઉપેક્ષા સેવી છે.
સાબરકાંઠાનાં પોશીના, વિજયનગર, ખેડબ્રહ્મા વિસ્તારમાં 6000 જેટલા હેન્ડપંપ છે પરંતુ તેમાંથી મોટા ભાગનાં હેન્ડપંપ બંધ હાલતમાં છે. કેમ કે, પાણીનાં તળ નીચે જતાં હેન્ડપંપની પાઈપો ટૂંકા પડી રહ્યાં છે. નવી પાઈપલાઈનો નાખવાની કામગીરી ચાલું હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે પરંતુ ક્યાંય હેન્ડપંપ રિપેર કરાયો હોય તેવું જોવાં મળ્યું નથી. અધિકારીઓ દ્વારા એવું કહેવાઈ રહ્યું છે કે, આ વિસ્તારમાં હેન્ડપંપ રિપેરિંગ માટે અલગ-અલગ ગેંગ કામે લગાડી દેવામાં આવી છે. પરંતુ હજુ સુધી એક પણ હેન્ડપંપ સજીવન થયો નથી અને આ તરફ તંત્ર સામાન્ય જનતાને ન સમજાય તેવા ટેક્નિકલ કારણો જણાવી રહ્યું છે.
જળ ભવનનાં અધિકારીઓની વાત અને વાસ્તવિક પરિસ્થિતિમાં અહીં મોટો વિરોધાભાસ છે. અધિકારીઓનું માનીએ તો અહીં અનેક સવાલ થાય છે. હેન્ડપંપ માટે જો કર્મચારીઓની ગેંગ મૂકી છે તો હેન્ડપંપ કેમ બંધ છે? લાખોનાં ખર્ચે પાઈપો ખરીદાઈ છે તો આદિવાસી વિસ્તારો સુધી કેમ પહોચી નથી? જો 6000થી વધુ હેન્ડપંપ ચાલુ છે તો પાણી માટે લોકો કેમ રઝળપાટ કરે છે? ત્યારે આવાં અનેક સવાલો ઉભા થાય છે. નાગરિકોને ટેક્નિકલ કારણોમાં રસ નથી અને તેમને તેમાં ખબર પણ પડતી નથી પરંતુ સરકારી તંત્રની જવાબદારી બને છે કે નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી મળે કેમ કે એ તેમનો હક છે.