રાજકોટમાં પડધરીના ઉકરડા ગામે ગ્રામજનોના હાથ-પગના સાંધા પકડાયા, ગામલોકો આરોગ્ય વિભાગ પર કર્યો આક્ષેપ, સતત કેસમાં વધારો પણ જિલ્લા આરોગ્ય વિભાગ નિષ્ક્રિય
ઉકરડામાં લોકોના હાથ-પગના સાંધા પકડાયા
લોકો બીમાર છતાં આરોગ્ય વિભાગ નિષ્ક્રિય
ચિકનગુનિયા કે અન્ય વાયરસની શક્યતા
ગુજરાતમાં હાલ કોરોનાનો ખતરો નહીવત્ થયો છે. રાજ્યમાં ડેંગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગોએ ભરડો લીધો છે. રાજકોટમાં પડધરી તાલુકાના ઉકરડા ગામે એક સાથે 500 લોકોના હાથ-પગના સાંધા પકડાઇ ગામમાં ચિકનગુનિયા કે અન્ય વાયરસની શંકા સેવાઇ રહી છે.
રાજકોટના આ ગામમાં એકઝાટકે 500 લોકો
ગામ લોકોમાં એક જેવા જ લક્ષણો જોવા મળી રહ્યા છે જેમાં સતત તાવ આવવો, સાંધામાં દુખાવો થવો, જે ચિકનગુનિયાના લક્ષણો જણાવે છે પરતું ગામલોકોએ ચિકનગુનિયાનો રિપોર્ટ કરાવ્યો જે નેગેટિવ આવવા છતાં લક્ષણો દેખાઈ રહ્યા છે. ત્યારે ગ્રામજનોમાં અન્ય વાયરસની શક્યતા સેવાઇ રહી છે.
આ બીમારીનો શિકાર થતાં મચ્યો ખળભળાટ
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ઉકરડા ગામે છેલ્લા છેલ્લા 2 મહિનાથી 90 ટકા ગ્રામજનોના હાથ પગના સાંધાનો દુખાવો અનુભવી રહ્યા છે. તો ચાલુ વર્ષના ગત વર્ષ કરતા ત્રણ ગણા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે જે મનપાના ચોપડે નોંધાયેલા કેસ કહી રહ્યા છે આ મુદ્દે ગ્રામજનોએ આરોગ્ય વિભાગ પર આક્ષેપ કર્યો છે કે તેઓ ક્યા રોગથી પીડાઈ રહ્યા છે એ અંગે આરોગ્ય વિભાગ નક્કી નથી કરી શક્યું કે ગ્રામજનો કયા રોગથી પીડિય છે. છેલ્લા ઘણા સમયથી કેસમાં સતત વધારો થઇ રહ્યો છે.
ઉકરડામાં લોકોના હાથ-પગના સાંધા પકડાયા
ગામના સરપંચની અધિકારીઓને રજૂઆત છતાં કોઈ નક્કર પરિણામ આવ્યા નથી તો બીજી તરફ કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાએ જિલ્લાના અધિકારીઓ સાથે ઉકરડા ગામની મુલાકાત લીધી અને જિલ્લાના આરોગ્ય અધિકારીઓ પાસેથી માહિતી મેળવી છે. લલિત કગથરાને ગ્રામજનોએ ફરિદયાદ પણ કરી હતી કે આરોગ્ય વિભાગ રોગનું તારણ અને મારાણ શોધવામાં આંખ-આડા કાન કરે છે.
લોકો બીમાર છતાં આરોગ્ય વિભાગ નિષ્ક્રિય
ગામના લોકોનું કહેવું છે કે, હાલ ગામમાં 90 ટકા કરતા વધુ લોકો આ બીમારીથી પીડાય છે. જેમાં સાંધામાં એટલો અસહ્ય દુખાવો થાય છે કે. દર્દી બેડ પરથી ઉભો નથી થઇ શકતો. આ બીમારીના કારણે ઘરે ધરે આ આ રોગના દર્દી જોવા મળી રહ્યાં છે. આ રોગ શું છે અને કેવી રીતે ફેલાય છે તે અંગે આરોગ્ય વિભાગ દ્વારા પણ કોઇ પ્રકારનું માર્ગદર્શન ન અપાતા લોકો પરેશાન છે. લોકોને આક્ષેપ છે કે, આ સ્થિતિની આરોગ્ય તંત્ર પણ અવગણના કરી રહ્યું છે.
વડોદરમાં કોરોના કેસોમાં વધારો
વડોદરા શહેરમાં ફરી કોરોના ધીમેધીમે માથુ ઉંચકી રહ્યો છે. વડોદરા શહેરમાં ગઇકાલે 6 કોરોનાના પોઝિટિવ કેસો નોંધાયા હતા જેની સાથે કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 62 પર પહોંચી છે. ગઇકાલે હરણી, અકોટા, ગોરવા, માંજલપુર અને છાણીમાં પોઝિટિવ કેસો નોંધાયા હતા. છેલ્લા 15 દિવસમાં એક્ટિવ કેસોની સંખ્યામાં વધારો થયો છે. હાલ શહેરમાં 2 દર્દી ઓક્સિજન સપોર્ટ જ્યારે 1 દર્દી વેન્ટિલેટર રાખવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં 15 દિવસપહેલા કોરોનાના એક પણ નોંધાયો ન હતો જો કે દિવાળી બાદ કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
છેલ્લા 15 દિવસમાં કોરોના એક્ટિવ કેસોની સંખ્યા વધી
મહત્વનું છે કે મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ મુજબ વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,183 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,500 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 6 નવા કેસ નોંધાયા હતા. વડોદરા શહેરમાં છેલ્લા 12દિવસમાં કોરોનાના 74 કેસ નોંધાયા છે.
દેશમાં ક્યાં-ક્યાં છે ઝીકા વાયરસનો પ્રકોપ
તમને જણાવી દઈએ કે દેશમાં સૌપ્રથમ વર્ષ 2017માં ગુજરાતમાં 3 અને 2018માં 1 કેસ નોંધાયો હતો. ત્યારબાદ વર્ષ 2017માં તામિલનાડુમાં 1 કેસ સામે આવ્યો. વર્ષ 2018માં મધ્યપ્રદેશમાં ઝિકા વાયરસના કેસોમાં અચાનક વધારો થયો હતો અને 130 લોકો સંક્રમિત જોવા મળ્યા હતા. આ જ વર્ષે 2018માં જ રાજસ્થાનમાં ઝિકા વાયરસના 159 કેસ નોંધાયા હતા. વર્ષ 2021માં કેરળમાં ઝિકા વાયરસના કેસો અચાનક દેખાવા લાગ્યા હતા. ત્યારબાદ 64 કેસ નોંધાયા હતા. દરમિયાન, મહારાષ્ટ્રમાં ઝિકા વાયરસનો એક કેસ નોંધાયો હતો અને હવે કાનપુર અને કન્નૌજ સહિત યુપીમાં 80 કેસ નોંધાયા છે.