પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ અંસારીના એક નિવેદનને લઈને વિવાદ ઊભો થયો છે. જે તેમણે અમેરિકન ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (IAMC) દ્વારા આયોજિત કાર્યક્રમમાં આપ્યું હતું.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ આપ્યું વિવાદિત નિવેદન
કહ્યું ભારતમાં વધી રહી છે અસહિષ્ણુતા
ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (IAMC) ના કાર્યક્રમમાં બોલ્યા
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ 26 જાન્યુઆરીના રોજ એક અમેરિકન સંસ્થાના વર્ચ્યુઅલ કાર્યક્રમમાં વિવાદાસ્પદ વાત કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં અસહિષ્ણુતા વધી રહી છે. આ કાર્યક્રમમાં અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ હાજરી આપી હતી.
કેન્દ્રની મોદી સરકાર પર નિશાન
અન્સારીએ આ સંસ્થાના મંચ પરથી કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભારતમાં નાગરિક રાષ્ટ્રવાદને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે. અન્સારીએ કહ્યું હતું કે ધાર્મિક બહુમતીને રાજકીય એકાધિકાર તરીકે રજૂ કરીને ધર્મના આધારે અસહિષ્ણુતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં હામિદ અંસારી સાથે અમેરિકાના ચાર ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમના સિવાય ઇન્ટરનેશનલ કમિશન ફોર રિલિજિયસ ફ્રીડમના વડાએ પણ હાજરી આપી હતી.
ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલનો કાર્યક્રમ
ઈવેન્ટની આયોજક સંસ્થા ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ (IAMC) છે. આ સંગઠન પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સંકળાયેલું હોવાનું અને ભારતમાં રમખાણોના કાવતરા આયોજિત કરતી હોવાનો આક્ષેપ પણ થયેલ છે.
ISI સાથે કોઈ જ સંબંધ ન હોવાનો દાવો
ઈવેન્ટના આયોજકોની અગ્રણી સંસ્થા ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલનું કહેવું છે કે તે આઈએસઆઈ સાથે સંકળાયેલ નથી. તે નાગરિક અધિકારોના રક્ષણ માટે કામ કરતી અમેરિકન સંસ્થા છે. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સંગઠન ભારતમાં હિંદુઓના ડરની વાત કહીને ઝેર ઓકતું રહ્યું છે. તે ભારતીય સંસદમાં પાસ થયેલા કાયદાઓનો પણ વિરોધ કરતી રહી છે. તેના પર સિમી સાથે આતંકવાદી સંબંધો હોવાનો પણ આરોપ છે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ અનેક મુદ્દા ઉઠાવ્યા
કાર્યક્રમની થીમ 'ભારતના બંધારણનું રક્ષણ' હતી. જેમાં અંસારી અને અન્યોએ દેશના લઘુમતીઓ વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણો, ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ કાયદાનો દુરુપયોગ અને કાશ્મીરી કાર્યકર્તા ખુર્રમ પરવેઝની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો હતો.
જો કે ઉપરોક્ત મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર ઘણીવાર સ્પષ્ટપણે પોતાનો મત વ્યક્ત કરતી રહી છે. કેન્દ્રએ આ આરોપોને ઘણી વખત નકારી કાઢ્યા છે. સરકારે કહ્યું છે કે ભારતની સંસદીય વ્યવસ્થા અને કાયદા સંપૂર્ણપણે પારદર્શક છે. ચૂંટણીઓ નિયમિત અને પારદર્શક રીતે જ થાય છે.
સંગઠન પર ત્રિપુરા રમખાણોમાં સામેલ હોવાનો આરોપ
વોશિંગ્ટનમાં આ વર્ચ્યુઅલ ઈવેન્ટના આયોજક પર પાકિસ્તાન ઈન્ટેલિજન્સ એજન્સી સાથે સંકળાયેલા હોવાનો આરોપ છે. આ કાર્યક્રમનું આયોજન 17 અમેરિકન સંસ્થાઓના સમૂહ દ્વારા કરવામાં આવ્યું હતું.આયોજક સંસ્થાઓમાંની એક ભારતીય-અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ છે.
ત્રિપુરા સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવિટમાં રાજ્યમાં તાજેતરના રમખાણોમાં આ સંગઠનને કારણભૂત ગણાવ્યું છે. આ 17 સંસ્થાઓમાં એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ યુએસએ, જેનોસાઈડ વોચ, હિંદુઝ ફોર હ્યુમન રાઈટ્સ, ઈન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલનો સમાવેશ થાય છે.