આમ તો ક્યારેય પણ હોલમાર્કિંગ વગરની જ્વેલરી ખરીદવી ન જોઇએ. પરંતુ આજથી આ નિયમનું પાલન કરવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. દેશમાં આજથી જ્વેલર્સ હોલમાર્કિંગ વગરની જ્વેલરીનું વેચાણ કરી શકશે નહીં. આમ જો તમે પણ જ્વેલરી ખરીદવા ઇચ્છો છો તો હોલમાર્કવાળી જ ખરીદજો.
સોનામાં આજથી હોલમાર્ક ફરજિયાત
વેપારી હોલમાર્ક વગરનું સોનુ વેચી નહી શકે
હોલમાર્ક વગરનું સોનું વેચનાર સામે કડક કાર્યવાહી
કેન્દ્ર સરકાર દ્વારા 15 જાન્યુઆરીથી દેશમાં જ્વેલરી પર હોલમાર્કિંગ ફરજિયાતનો નવો નિયમ લાગુ થઇ ગયો છે. કેન્દ્રિય ઉપભોક્તા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી રામ વિલાસ પાસવાને મંગળવારે જણાવ્યું હતું કે સોનાની જવેલરી પર હોલમાર્કિંગ ફરજયિતા કરવાની પ્રક્રિયા આજથી શરૂ થઇ જશે અને એક વર્ષ 15 જાન્યુઆરી 2021 સુધીમાં કાયદો લાગુ થઇ જશે.
આ કાયદો લાગુ થઇ ગયા બાદ હોલમાર્ક વગરના સોનાના ઘરેણાનું વેચાણ કરનાર જ્વેલર્સને દંડ થઇ શકે છે અને જેલની સજા પણ થઇ શકે છે. કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું કે સોનાના ઘરેણા પર હોલમાર્કિગ માટે દેશમાં જિલ્લા સ્તર પર એસેસિંગ સેન્ટર ખોલવામાં આવશે અને જવેલર્સો માટે BIS પાસે રજીસ્ટ્રેશન કરવું જરૂરી થશે.
હોલમાર્ક વગરના ઘરેણાનું વેચાણ કરવા પર જવેલર્સને ભારે દંડ તેમજ એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવશે. જો કે આ કાયદો 15 જાન્યુઆરી, 2021થી લાગુ કરવામાં આવશે. જો કોઇ ઉપભોક્તા પોતાની પાસે રહેલા ઘરેણાની શુદ્ધતાને માપવા માટે હોલમાર્કિંગ કરવા ઇચ્છે છે તો તેને પ્રતિ ઘરેણાદીઠ 200 રૂપિયાનો ખર્ચ થશે.
BIS ના ઉપમહાનિદેશે જણાવ્યું કે સોનાના ઘરેણા પર BIS ની હોલમાર્કિંગ 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરટ શુદ્ધતાના સોનાના ઘરેણા પર કરવામાં આશે. હોલમાર્કિંગમાં ચાર વસ્તુઓ સામેલ થશે. જેમાં BIS નો માર્ક, શુદ્ધતા જેમ કે 22 કેરેટ અને 916, અસેસિંગ સેન્ટરની ઓળખ, જવેલર્સની ઓળખનું ચિન્હ સામેલ હશે.