ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાને આગામી 2 વર્ષ આવનારા 3 ખાસ મિશનની તૈયારીમાં લાગી ગયા છે. ટીમ ઇન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને સતત 2 વર્શષ 2020 અને 2021 દરમિયાન યોજનારા 2 T-20 વર્લ્ડ કપ માટે તૈયાર કરી રહ્યા છે. આ બંને માટે ટીમ ઇન્ડિયા પણ તૈયાર છે.
વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે જે પોઇન્ટ્સ ટેબલના સ્કેલ નક્કી કરવામાં આવ્યા છે, તેના માટે ભારતીય ઘણા આગળ છે. આ મુદ્દા પર કોચ રવિ શાસ્ત્રીએ એક ઇન્ટવ્યૂમાં વાતચીત કરતા ધોની અને ટીમ ઇન્ડિયાની રણનીતિ વિશે જણાવ્યુ.
ધોનીના સંન્યાસને લઇને શાસ્ત્રીએ ખૂબ જ આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ કે, '' ધોની પર કોમેન્ટ કરતા લોકોમાંથી મોટાભાગનાને તો પોતાની બૂટની દોરી પણ સરખી બાંધતા નથી આવડતું.''
ધોની પર કોમેન્ટ કરતા લોકો પૈકી અડધાથી વધારે લોકોને તો પોતાની બૂટની દોરી સાચી રીતે કેમ બાંધવી તે ખબર નથી હોતી. પહેલા એ જુઓ કે તેણે દેશ માટે શું ઉપલબ્ધી મેળવી છે. લોકોને આટલી શેની ઉતાવળ છે કે અત્યારે જ સન્યાંસ લઇ લે? લાગે છે કે, લોકો પાસે બીજો કોઇ મુદ્દો જ નથી વાત કરવા માટે...
આ સિવાય ધોની વિશે વાત કરતા જણાવ્યુ કે, ''15 વર્ષ દેશ માટે ક્રિકેટ રમનારા ધોનીને ખબર છે કે તેણે ક્યારે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો છે. ધોનીએ ભારતીય ક્રિકેટમાંથી જે કર્યુ છે તેના પરથી તેણે પોતાના સંન્યાસ અંગેનો નિર્ણય લેવાનો અધિકાર મેળવ્યો છે. જ્યારે પણ ટીમની વાત આવે છે ત્યારે ધોની હંમેશા પોતાના આઇડિયા અને વિચાર રાખવા માટે તૈયાર રહે છે. હમણા થોડા સમય પહેલા જ રાંચી ટેસ્ટના છેલ્લા દિવસે ડ્રેસિંગ રૂમમાં આવ્યો અને તેણે શાહબાઝ નદીમની સાથે વાત કરી. જે ખેલાડી પોતાના હોમ ગ્રાઉન્ડમાંથી ડેબ્યૂ કરી રહ્યો હોય તેના માટે આનાથી વધારે મોટિવેશન કયું હોઇ શકે? એમ.એસ.ધોનીએ પોતાની રમતથી અધિકાર મેળવ્યો છે અને તે પોતે નિર્ણય કરી શકે છે કે ક્યારે રિટાયર થઇ શકે છે. હવે આ મુદ્દાનો અંત આવવો જોઇએ.''