અમદાવાદમાં બોડકદેવ, પાલડી સૈજપુર સહિતના વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ કરાયો છે. આમ અત્યાર સુધી શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 86 પર પહોંચી છે.
અમદાવાદમાં વધ્યો કોરોનાનો પ્રભાવ
રાજ્યના કુલ કેસમાંથી અડધા કેસ અમદાવાદમાં
આજે વધુ 21 સોસાયટીઓ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં
અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધ્યું
અમદાવાદમાં સતત કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈ તંત્ર દ્વારા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે મંગળવારે અમદાવાદ શહેરમાં વધુ 2 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ કરાયો છે. જેમાં બોડકદેવ અને સૈજપુરનો સમાવેશ કરાયો છે. આ સાથે અમદાવાદ શહેરની વિવિધ 21 સોસાયટીઓને પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મુકવામાં આવી છે. આ સાથે જ શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 86 પર પહોંચી છે.
36 કલાક દરમિયાન અમદાવાદમાં 644 કેસથી હાહાકાર
ગુજરાતમાં કોરોનાનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. છેલ્લા 36 કલાકમાં 1259 કેસ સામે આવતા તંત્ર અને લોકોએ હવે સાવચેત થઈ જવાની જરૂર છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 644 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં 225 કેસ તો વડોદરામાં 75 અને રાજકોટમાં 61 કેસ સામે આવ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 5858 સુધી પહોંચી ગઈ છે.રાજ્યભરમાં કોરોનાને કારણે 3 મૃત્યુ થયા જ્યારે કુલ 16 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધી કુલ 9.04 કરોડ રસીના ડોઝ આપી દેવાયા છે. આ સાથે જ ગઈકાલથી 15-18 વર્ષના લોકોનું રસીકરણ પણ શરુ કરવામાં આવ્યું હતું.
ઓમિક્રોનના 16 નવા કેસ
ગુજરાતમાં કોરોનાના ફૂંફાડા સાથે જ ઓમિક્રોનના વધુ 16 કેસ નવા આવ્યા છે. અમદાવાદમાં ઓમિક્રોનના 7 કેસ, વડોદરામાં 2 કેસ, કચ્છ અને ખેડામાં ઓમિક્રોનના એક-એક કેસ, જામનગર, આણંદ જિલ્લામાં ઓમિક્રોનના 2-2 કેસ, તો સુરતમાં આજે એક મહિલાને પણ ઓમિક્રોનની પુષ્ટી થઇ છે. અત્યાર સુધી રાજ્યમાં ઓમિક્રોન વેરિયન્ટના કુલ 152 કેસ નોંધાયા છે જેમાંથી ઓમિક્રોનને માત આપીને કુલ 85 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધી ગુજરાતમાં ઓમિક્રોનને કારણે એકપણ મૃત્યુ નોંધાયું નથી