કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે 18 મે એ લાગૂ કરાયેલા ચોથા ચરણના લૉકડાઉન દરમિયાન રવિવારે સવારે આઠ વાગ્યા સુધીમાં સંક્રમણના 85,974 કેસ સામે આવ્યા. જે દેશમાં અત્યાર સુધીમાં આવેલા કુલ કેસના લગભગ અડધા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ 31 મેની રાત્રીએ પૂર્ણ થઇ રહેલા ચોથા ચરણના લૉકડાઉનમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ કેસમાંથી 47.20 ટકા કેસ સામે આવ્યા છે.
લૉકડાઉનનું પ્રથમ ચરણ 25 માર્ચે લાગૂ કરાયું હતું, એ સમયે 10,877 કેસ નોંધાયા હતા
ભારતમાં રવિવારે કોરોના વાયરસના સંક્રમણના કુલ કેસ 1,82,143 થઇ ગયા
જો લૉકડાઉનને શરૂઆતથી જોવામાં આવે તો, લૉકડાઉનનું પ્રથમ ચરણ 25 માર્ચે લાગૂ કરવામાં આવ્યું. જે 21 દિવસોનું હતું. એ સમયે 10,877 કેસ નોંધાયા હતા. લૉકડાઉનનું બીજુ ચરણ 15 એપ્રિલે શરૂ થયું અને 3 મે સુધી 19 દિવસો માટે લાગૂ રહ્યું, જેમા 31,094 કેસ સામે આવ્યા હતા. જ્યારે લૉકડાઉનનું ત્રીજુ ચરણ 14 દિવસનું હતું, જે 17 મે એ પૂર્ણ થયું અને 18 મેએ સવારે આઠ વાગ્યા સુધી 53,636 કેસ સામે આવ્યા હતા.
દેશમાં 24 માર્ચ સુધીમાં કોરોના વાયરસના 512 કેસ સામે આવી ચૂક્યા હતા. ભારત આ વૈશ્વિક મહામારીથી સૌથી વધારે પ્રભાવિત નવમો દેશ છે. દેશમાં કોરોનાનો પહેલો કેસ કેરળમાં 30 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. વુહાન વિશ્વવિદ્યાલયથી ભારત પરત ફરેલા મેડિકલનો એક વિદ્યાર્થીમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું હતું.
ભારતમાં રવિવારે એક દિવસમાં કોરોના વાયરસના સૌથી વધારે 8380 કેસ સામે આવ્યા. ત્યારબાદ સંક્રમણના કુલ કેસ 1,82,143 થઇ ગયા છે, જ્યારે મોતનો આંકડો વધીને 5,164 થઇ ગયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં 89,995 લોકો હજુ પણ કોરોના સંક્રમિત છે જ્યારે 86,983 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે એક દર્દી વિદેશ ચાલ્યો ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, અત્યાર સુધીમાં લગભગ 47.75 ટકા દર્દીઓ સ્વસ્થ થયા છે.
રવિવારે ખતમ થઇ રહેલા લૉકડાઉનના ચોથા ચરણની સાથે ગૃહ મંત્રાલયે શનિવારે કહ્યું હતું કે દેશમાં આઠ જૂનથી અનલૉક-1 શરૂ થશે. જેમા શોપિંગ મોલ્સ, રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળ ખોલવા સહિત મોટાપાયે છૂટ અપાશે. જોકે દેશના સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં કડક પ્રતિબંધો 30 જૂન સુધી લાગૂ રહેશે.