મુંબઇ: માયાનગરી મુંબઇમાં દર વર્ષે ગુમ થનારા લોકોમાંથી આશરે અડધા લોકોની ઉંમર 16 થી 25 વર્ષની વચ્ચે છે. મુંબઇ પોલીસે આરટીઆઇના જવાબમાં આ જાણકારી આપી છે. શહેરના આરટીઆઇ કાર્યકર્તાએ આરટીઆઇના આવેદનના જવાબમાં મુંબઇ અપરાધ શાખાના સહાયક પોલીસે જણાવ્યું કે દર વર્ષે ગુમ થનાર લોકોની સંખ્યા વધી રહી છે.
પોલીસે જણાવ્યું કે મુંબઇથી 2014 2015 અને 2016માં કુલ 32 598 લોકોના ગુમ થયાની ફરિયાદ મળી. 2014માં અહીંથી 10 916 લોકો ગુમ થયા. તો 2015માં આ સંખ્યા 10 313 હતી. 2016માં 11 369 લોકો ગુમ થયા.
આંકડા પરથી જાણી શકાય છે કે ગુમ થનાર લોકોમાં આશરે 50 ટકા લોકો 16 થી 25 વર્ષનો વર્ગ છે જ્યારે ત્યાર બાદ ગુમ લોકોમાં 26 થી 40 વર્ષના લોકોની સંખ્યા વધારે છે.