અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની ધીમી ગતિએ ચાલતી કામગીરીને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અનિલ સ્ટાર્ચ મિલ પાસે આવેલા આ રોડની કામગીરી દિવાળી પહેલા હાથ ધરવામાં આવી છે.
AMCની ધીમી કામગીરીથી રોષ
અનિલ સ્ટાર્ચ મિલ પાસેના વિસ્તારમાં કામગીરી
AMCની લાલિયાવાડીથી રોષ
અમદાવાદ શહેરમાં કોર્પોરેશનની ધીમી ગતિએ ચાલતી કામગીરીને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વાઈટ ટેપિંગ પધ્ધતિથી રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અનિલ સ્ટાર્ચ મિલ પાસે આવેલા આ રોડની કામગીરી દિવાળી પહેલા હાથ ધરવામાં આવી છે. પરંતુ હજુ સુધી આ રોડની કામગીરી પૂર્ણ નથી કરવામાં આવી. સાથે હાલમાં રોડ બનાવવાના મશીનો પણ ઢાંકીને મૂકી દેવામાં આવ્યા છે. કામગીરી ચાલતો આ રોડ પૂર્વ વિસ્તારના લોકો માટે મુખ્ય માર્ગ છે. આ રોડ પરથી રોજ નાના અને મોટા હજારો વાહનો પસાર થતા હોય છે. ત્યારે ધીમી ચાલતી કામગીરીને લઈને રાહદારીઓ ભારે આક્રોશમાં જોવા મળ્યો હતો.
રહીશોને ભારે હાલાકી
આ બાબતે સ્થાનિકે જણાવ્યું હતું કે રોડની કામગીરી અધૂરી હોવાથી રોજના 5 જેટલા અકસ્માતો સર્જાય છે. જેમાં વાહન ચાલકોના નાની મોટી ઈજાઓ થાય છે. તેમજ રોડની કામગીરી બે કે ત્રણ દિવસ જ ચાલતી હોય છે અને બાકીના દિવસ કામ બંધ રાખે છે. કોન્ટ્રાક્ટર દ્વારા રોડને રીસરફેસ કરવાની જે કામગીરી હાથ ધરી છે. ત્યારે રોડની કામગીરી ચાલતી હોઈ ધૂળની રજકણો પણ ખૂબ જ ઉડે છે. જેથી રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ બાબતે જવાબદાર કોણ?