Karnataka માં હિજાબ વિવાદ બાદ હવે હલાલ માણસને લઈને નવો વિવાદ થયો છે જેમાં મુખ્યમંત્રીએ પણ નિવેદન આપવું પડ્યું છે.
કર્ણાટકમાં હિજાબ બાદ હવે હલાલ મીટ વિવાદ
મુખ્યમંત્રી બસવરાજ બોમાઈનું નિવેદન
સરકાર આ બાબતે કરશે અભ્યાસ
કર્ણાટકમાં હિજાબ બાદ હલાલ મીટને લઈને શરૂ થયેલા વિવાદ પર રાજ્યના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈનું નિવેદન આવ્યું છે.
હલાલ મીટના બહિષ્કારની અપીલ
બુધવારે CM બોમ્મઈએ કહ્યું હતું કે રાજ્ય સરકાર હલાલ મીટ અંગે ઉઠાવવામાં આવેલા ગંભીર વાંધાઓ પર વિચાર કરશે. ઉલ્લેખનીય છે કે કેટલાક જૂથોએ આવા માંસના બહિષ્કારની અપીલ કરી છે.
સરકાર આ બાબતે કરશે અભ્યાસ
મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ કહ્યું હતું કે જ્યાં સુધી તેમની સરકારનો સવાલ છે, તેમણે માત્ર વિકાસને પ્રાધાન્ય આપ્યું છે, અને તેમાં કોઈ જમણેરી કે ડાબેરી પાંખ નથી.
હલાલ મુદ્દે સરકારના વલણ અંગેના પ્રશ્નના જવાબમાં બોમ્માઈએ કહ્યું, “આ મામલો હમણાં જ શરૂ થયો છે. અમારે તેનો સંપૂર્ણ અભ્યાસ કરવો પડશે, કારણ કે તેને નિયમો સાથે કોઈ લેવાદેવા નથી. આ એક પ્રથા છે જે ચાલી રહી છે. હવે આ અંગે ગંભીર વાંધો ઉઠાવવામાં આવ્યો છે.
મુસ્લિમો ઇસ્લામનો રેફરન્સ આપે છે
હિંદુ સંગઠનો દ્વારા હલાલ માંસના બહિષ્કાર માટે ઝુંબેશ ચલાવવાના પ્રશ્ન પર, મુખ્ય પ્રધાને કહ્યું કે સરકાર આ મુદ્દે પોતાનું વલણ પછીથી સ્પષ્ટ કરશે. તેમણે કહ્યું હતું કે, અમે જાણીએ છીએ કે શું પ્રતિક્રિયા આપવી અને શું નહીં. સમગ્ર મામલાના અભ્યાસ બાદ જ આ અંગે કંઇક કહીશું.
નોંધનીય છે કે મુસ્લિમો ઇસ્લામને ટાંકીને માત્ર હલાલ માંસ ખાય છે. જ્યારે હિન્દુ સંગઠનોએ આની સામે વાંધો ઉઠાવ્યો છે અને પ્રતિબંધની માંગણી કરી છે.
ભાજપના મહામંત્રીએ આ વાત કહી
વર્ષાદોદાકુ પહેલા, ઘણા જમણેરી જૂથોએ હલાલ માંસનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. 'ઉગાદી' પછી, રાજ્યના વિવિધ સમુદાયો આ દિવસે માંસાહારી ભોજનનું આયોજન કરે છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ મંગળવારે હલાલ માંસને 'આર્થિક જેહાદ' ગણાવ્યું હતું અને હિન્દુઓને તેનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી.