બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / નો વેક્સિન, નો રજિસ્ટ્રેશન..., ગંભીર બીમારીએ વધાર્યું આ દેશનું ટેન્શન, બનાવ્યા કડક નિયમો

મહત્ત્વનો નિર્ણય / નો વેક્સિન, નો રજિસ્ટ્રેશન..., ગંભીર બીમારીએ વધાર્યું આ દેશનું ટેન્શન, બનાવ્યા કડક નિયમો

Last Updated: 02:19 PM, 25 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હજ 2025 ના યાત્રાળુઓ માટે મેનિન્જાઇટિસની રસી લેવી ફરજિયાત રહેશે. આ રસી વિના હજ પેકેજ અને રજીસ્ટ્રેશન પણ નહીં થાય. સાઉદી અરેબિયા સરકારનો આ નિર્ણય એવા યાત્રાળુઓના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો છે જેમને ભીડભાડવાળા સ્થળોએ સંક્રમણનું જોખમ વધી શકે છે.

સાઉદી અરેબિયા સરકારે આ વર્ષની હજ માટે કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. સાઉદીના હજ અને ઉમરાહ મંત્રાલયે હજ યાત્રાળુઓ માટે મેનિન્જાઇટિસની રસી ફરજિયાત કરી દીધી છે. હજ પેકેજ અને રજીસ્ટ્રેશન માટે હવે મેનિન્જાઇટિસ વેક્સિનેશન સર્ટીફીકેટ ફરજિયાત રહેશે. આ વિના, હજ પર જવાની પરવાનગી મળશે નહીં. આ નિયમ વિદેશથી આવતા હજ યાત્રાળુઓની સાથે-સાથે સાઉદી અરેબિયાના નાગરિકો પર પણ લાગુ પડશે. મંત્રાલયે જણાવ્યું કે આ નિર્ણયનો હેતુ લાખો હજ યાત્રાળુઓને આ બીમારીના ફેલાવાથી બચાવવાનો છે.

hajj.jpg

હજ અને ઉમરાહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે 2025 માં હજ માટે આવનારા તમામ લોકોને મેનિન્જાઇટિસની રસી લગાવવી જરૂરી છે. હજ દરમિયાન ભીડમાં ચેપી રોગોનો ફેલાવો અટકાવવો એ એક મોટો પડકાર હોવાથી રસીકરણ વિના હજની મંજૂરી આપવામાં આવશે નહીં. આને ધ્યાનમાં રાખીને, હજમાં ભાગ લેવા માટે રસીકરણ કરાવવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. આનાથી જીવલેણ રોગ સામે સંપૂર્ણ રક્ષણ મળશે. મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે હજ પેકેજ માટે રજીસ્ટ્રેશન પણ ત્યારે જ થશે કે જયારે રસીકરણનો પુરાવો બતાવવામાં આવશે.

ભીડને કારણે ન લઈ શકાય જોખમ

મંત્રાલયે કહ્યું છે કે દુનિયાભરમાંથી લાખો લોકો હજ માટે આવે છે. એક જગ્યાએ ઘણા બધા લોકો ભેગા થયા હોવાથી બીમારી ફેલાવાનું જોખમ વધી છે. એવામાં કોઈપણ ચેપી રોગ અંગે જોખમ લઈ શકાય નહીં. આ વાતને ધ્યાનમાં રાખીને સાઉદી સરકારે આ પગલું ભર્યું છે. સાઉદી સરકારે એમ પણ કહ્યું છે કે તે હજ યાત્રાળુઓને અન્ય આરોગ્ય સુવિધાઓ પણ પૂરી પાડશે.

આ પણ વાંચો: 'PoKને ખાલી...', UNSCમાં પાકિસ્તાનને ભારતની ખુલ્લી ચેતવણી, જુઓ શું કહ્યું

શું છે મેનિન્જાઇટિસ

મેનિન્જાઇટિસ એક એવો રોગ છે જે મગજ અને કરોડરજ્જુને અસર કરે છે. મગજ અને કરોડરજ્જુને ઢાંકતા ત્રણ-સ્તરીય પટલને મેનિન્જીસ કહેવાય છે, જે તેમને ઈજાથી બચાવવા અને ટેકો આપવાનું કામ કરે છે. મેનિન્જાઇટિસ એ મગજ અને કરોડરજ્જુને આવરી લેતી પટલ (મેનિન્જીસ) નો ચેપ અથવા સોજો છે, જે તાવ, માથાનો દુખાવો અને ગરદન અકડાઈ જવી, જેવા લક્ષણોનું કારણ બની શકે છે. આ ચેપ બેક્ટેરિયા, વાયરસથી થઈ શકે છે અને એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે છે. આ રોગ જીવલેણ પણ બની શકે છે. એવામાં આ રોગથી બચવા માટે રસીકરણ એ શ્રેષ્ઠ રસ્તો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Saudi Arabia Meningitis Vaccination Hajj 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ