વાળ ખરવા એ અત્યારે દરેકના માથાનો દુખાવો બની ગયું છે. મહિલા હોય કે પુરૂષો બધાંના વાળ ખરવા લાગ્યા છે અને સમજાતું નથી કે કયા કારણોથી આટલા બધાં વાળ ખરે છે. જેમાં ઘણાં લોકોને વાળમાં તેલ લગાવ્યા બાદ પણ પુષ્કળ વાળ ખરે છે અને તૂટે છે. એવું વાળમાં ખોટી રીતે મસાજ કરવાથી વાળ તૂટે છે. ચાલો જાણીએ.
વાળ ખરવાની સમસ્યાથી બધાં છે પરેશાન
વાળમાં તેલ લગાવ્યા બાદ પુષ્કળ તૂટે છે વાળ
વઘુ પડતું ઓઈલ મસાજ વાળ માટે નુકસાનકારક છે
વાળમાં ક્યારે મસાજ કરવું
મોટાભાગના લોકો વાળમાં તેલ લગાવ્યાના તરત બાદ મસાજ કરે છે. તેનાથી વાળ તૂટે છે. એવું ન થાય તે માટે પહેલાં વાળમાં કાંસકો કરીને ગૂંચ કાઢી લો અને પછી હળવા હાથે મસાજ કરો. આના બ્લડ સર્ક્યુલેશન પણ સારું થશે અને વાળ તૂટશે નહીં.
વાળમાં તેલ લગાવવાની રીત
મોટાભાગના લોકો વાટકીમાં તેલ લઈને આંગળીઓથી તેલ લગાવે છે. પણ આ રીત ખોટી છે. સૌથી પહેલાં વાળની ગૂંચ કાઢીને પછી કોટન બોલથી સ્કેલ્પ પર તેલ લગાવવું જોઈએ. આનાથી વાળ ખરશે નહીં.
વાળમાં મસાજ કર્યા બાદ ન કરવું આ કામ
જો તમે વાળમાં તેલ લગાવીને મસાજ કરીને વાળ ટાઈટ બાંધી દો છો તો આવું કરવું નહીં. તેલ લગાવ્યા બાદ વાળના મૂળ સોફ્ટ થઈ જાય છે. જેથી તેને ટાઈટ બાંધી દેવાથી મૂળથી નબળાં પડીને તૂટવા લાગે છે.
વાળમાં વધુ પડતું તેલ લગાવવું નહીં.
વાળમાં સપ્તાહમાં બેવાર જ તેલ લગાવવું. આખી રાત તેલ વાળમાં લગાવીને રાખવું નહીં. વાળ ધોવાના એક કે બે કલાક પહેલાં જ તેલ લગાવવું જોઈએ. વાળમાં માપસર તેલ લગાવવું. વધારે પડતું તેલ લગાવવાથી વાળને નુકસાન થાય છે.